1. Home
  2. ગુજરાતી
  3. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી,ટ્વિટ કરીને કહી આ વાત
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી,ટ્વિટ કરીને કહી આ વાત

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી,ટ્વિટ કરીને કહી આ વાત

0
Social Share
  • પીએમ મોદીને મળ્યા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ
  • અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
  • ટ્વિટ કરીને કહી આ વાત   

દિલ્હી:સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને COVID-19 મહામારી  સામેની લડાઈમાં તેમના નેતૃત્વ માટે તેમને અભિનંદન આપ્યા હતા.પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે,તેઓ મંગળવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા.

તેમણે ટ્વિટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને આનંદ થયો. કોવિડ-19 સામેની લડાઈમાં તેમના નોંધપાત્ર નેતૃત્વ અને સફળતા માટે તેમને અભિનંદન આપ્યા.હું, એક ઉદ્યોગસાહસિક તરીકે, સુધારા, સામાજિક કલ્યાણ અને આત્મનિર્ભર ભારત માટે દષ્ટિ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ આશ્વાસન આપનારી લાગે છે.

કોવિડ–19 વિરોધી રસી ઉત્પાદનનાં મામલમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી કંપની છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code