એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો
નવી દિલ્હી, 31 મે 2026: Admiral Krishna Swaminath એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે 27મા નૌકાદળના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સ્થાન લેશે. એડમિરલ સ્વામીનાથને જણાવ્યું હતું કે નૌકાદળ પડકારજનક, જટિલ અને અનિશ્ચિત વાતાવરણનો સામનો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે નૌકાદળનું આધુનિકીકરણ અને ઉચ્ચતમ સ્તરની લડાઇ ક્ષમતાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે બોલતા, વિદાય લેતા નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ કહ્યું કે દેશની નૌકાદળનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. તેમણે ઉમેર્યું કે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિકતા અકબંધ છે.
વધુ વાંચો: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ


