કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સંકલિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 16 જુલાઈ 2026: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટકાઉ કૃષિ વિકાસ સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોમાં સંકલિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ’ (ICAR) ના સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો અને વૈજ્ઞાનિકોના સામૂહિક પ્રયાસોથી અસાધારણ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ICAR દેશમાં પરિવર્તન માટે એક પ્રેરક બળ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોને સંશોધનનો વાસ્તવિક સમયનો (real-time) લાભ મળવો જોઈએ. ચૌહાણે વૈજ્ઞાનિકોને ખેડૂતોની જરૂરિયાતોને અનુરૂપ અને માંગ-આધારિત સંશોધન હાથ ધરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દેશે 376 કરોડ ટન અનાજના ઉત્પાદન સાથે વિક્રમ સ્થાપ્યો છે અને છેલ્લા એક વર્ષમાં 44 પાકોની 386 નવી જાતો તેમજ બાગાયતી પાકોની 117 જાતો વિકસાવવામાં આવી છે.
આ પ્રસંગે સંબોધન કરતા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે ICARનો ‘લેબ ટુ લેન્ડ’ (પ્રયોગશાળાથી ખેતર સુધી) કાર્યક્રમ જેમાં ટેકનોલોજીનું હસ્તાંતરણ અને વૈજ્ઞાનિક નવીનતાનો સમાવેશ થાય છે તે ખેડૂતોની સમૃદ્ધિ, ખાદ્ય સુરક્ષા અને વિકસિત રાષ્ટ્રના નિર્માણના સંકલ્પ તરફની ગતિને વેગ આપશે.
વધુ વાંચો: નેપાળના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ટોપ બહાદુર રાયમાઝીને ચાર વર્ષની જેલની સજા


