1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં વધારો, ફરસાણ મોંઘુ થશે
ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં વધારો, ફરસાણ મોંઘુ થશે

ગુજરાતમાં સાતમ-આઠમના તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં વધારો, ફરસાણ મોંઘુ થશે

0
Social Share

રાજકોટ:  ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજબરોજ વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. ત્યારે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. હાલ માર્કેટ યાર્ડમાં ઉનાળું મગફળીની ધૂમ આવક હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં વધારા સામે લોકો જ પ્રશ્ન કરી રહ્યા છે. તેલના ભાવ વધે નહીં તે માટે સરકારી તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ કરાતું નથી. તેથી સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ 3120 રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સીંગતેલના ભાવ 3100થી 3120 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. સીંગતેલમાં ચીનના નિકાસ વેપાર થયાના અહેવાલોથી તેજી જોવા મળી રહી છે. સીંગતેલમાં તેજીની સામે  અન્ય સાઈડતેલો સસ્તા થયા છે.

ગુજરાતમાં સાતમ આઠમના તહેવારો તહેવારોનું વિશેષ મહાત્મ્ય છે. દરેક ઘરે ફરસાણ, ઢેબરા બનાવાતા હોય છે. આમ સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સીંગતેલમાં પણ લાલચોળ તેજી જોવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સીંગતેલમાં બનાવે છે. જેના કારણે આ વખતે આ તમામ વસ્તુઓ ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. જ્યારે ઓછી ઉપજ અને સરસવના તેલીબિયાંના કારણે વિદેશી બજારોમાં ઘટાડાનાં વલણ વચ્ચે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સોમવારે સરસવનું તેલ, સોયાબીન તેલ-તેલીબિયાં, ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો. સીંગદાણા તેલ-તેલીબિયાં અને કપાસિયા તેલના ભાવ તહેવારોની માંગ વચ્ચે અગાઉના સ્તરે બંધ થયા હતા. રાજ્ય સરકાર સિંગતેલના ભાવ કાબુમાં લેવા માટે યોગ્ય પગલાં લે તેવી માગ ઊઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code