Site icon Revoi.in

અમદાવાદઃ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવામાં આવ્યા વધારાના કોચ

Social Share

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળથી ચાલનારી ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં ચાર-ચાર કોચ વધારાના ઉમેરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નં. 09413/09414 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનમાં સાબરમતીથી 5,9,14 અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ તથા બનારસથી 6,10,15 અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નં. 09421/09422 સાબરમતી-બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનમાં સાબરમતીથી 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ તથા બનારસથી 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ બે એસી 3-ટાયર અને બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.

3. ટ્રેન નં. 09403/09404 અમદાવાદ-જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનમાં અમદાવાદથી 5,14,15,18,19 અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ તથા જંઘઈથી 7,16,17,20,21 અને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ બે એસી ૩-ટાયર અને બે સ્લીપર ક્લાસ ના વધારાના કોચ ઉમેરવામાં આવશે.

ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.