1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ નવ મહિના બંધ રહેશે. ટ્રાફિક માટે રસ્તો બંધ કરાયો
અમદાવાદ લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ નવ મહિના બંધ રહેશે. ટ્રાફિક માટે રસ્તો બંધ કરાયો

અમદાવાદ લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ નવ મહિના બંધ રહેશે. ટ્રાફિક માટે રસ્તો બંધ કરાયો

0
Social Share

અમદાવાદ :  શહેરમાં લાલ દરવાજા એએમટીએસના મુખ્ય ટર્મિનસના રૂપરંગ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના લાલદરવાજા ટર્નિનસનું રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાનું છે આ ઉપરાંત આરસીસી રોડ બનાવવાનું કામ પણ શરૂ કરવાનું હોવાથી 15- જુલાઇ 2021 થી માંડીને આવતા વર્ષે 14 માર્ચ 2022 સુધી સમગ્ર ટર્મિનસ બંધ રહેશે. આ ઉપરાંત લાલદરવાજા ટર્મિનસથી મ્યુનિસિપલ સ્નાનાગારથી હોમગાર્ડ ઓફીસથી અપના બજાર જતો રસ્તો ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોના જમાવ્યા મુજબ શહેરના લાલ દરવાજા વિસ્તારને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુખત્વે લાલ દરવાજામાં આવેલા એએમટીએસના મુખ્ય ટર્મિનસને અદ્યત્તન બનાવવામાં આવશે. જેના લીધે 15- જુલાઇ 2021 થી માંડીને આવતા વર્ષે 14 માર્ચ 2022 સુધી સમગ્ર ટર્મિનસ બંધ રહેશે. આ ઉપરાંત લાલદરવાજા ટર્મિનસથી મ્યુનિસિપલ સ્નાનાગારથી હોમગાર્ડ ઓફિસથી અપના બજાર જતો રસ્તો ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે. આ ઉપરાંત વિક્ટોરિયા ગાર્ડનથી સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા થઇને અપના બજાર તરફ જવાનો રસ્તો યથાવત્ત રહેશે. આ ઉપરાંત હોમગાર્ડ ઓફીસ આવવા જવા માટે નહેરૂબ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. અત્રે નોંધનીય છે કે, ટર્મિનસની કામગીરી લાંબા સમયથી કરવાની હતી. જો કે કોરોનાને કારણે અટકેલી પડી હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, એએમટીએસ  લાલ દરવાજા ટર્મિનસનું રી- ડેવલોપમેન્ટ કામ ચાલુ કરવાનું હોવાથી જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેમાં 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી અપના બજાર જતો રસ્તો બંધ રહેશે.તથા વિક્ટોરિયા ગાર્ડન – SBI – અપના બજાર જતો રસ્તો ચાલુ રહેશે.અને  હોમગાર્ડ ઓફિસ જવા નહેરુ બ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવો પડશે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code