1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રની જેમ ગુજરાત સરકારના કર્મચારીઓને પણ 11 ટકા મોંઘવારી ભથ્થું આપવા મહામંડળની રજુઆત
કેન્દ્રની જેમ ગુજરાત સરકારના કર્મચારીઓને પણ 11 ટકા મોંઘવારી ભથ્થું આપવા મહામંડળની રજુઆત

કેન્દ્રની જેમ ગુજરાત સરકારના કર્મચારીઓને પણ 11 ટકા મોંઘવારી ભથ્થું આપવા મહામંડળની રજુઆત

0
Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારના 4.50 લાખ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત 3 લાખ પેંશનરો ને 28 ટકા મોંઘવારી ભથ્થુ આપવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સમક્ષ પત્ર લખીને માગણી કરી છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું સત્વરે છૂટું કરવા તેમજ 28 ટકા ડી.એ આપવાની માગણી ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી છે પત્રમાં ઉલ્લેખ કર્યું છે કે રાજ્યમાં કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવેલું મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પટેલ પત્ર લખીને પોતાની માગણી વ્યક્ત કરી છે બીજી તરફ તેમણે એવો ઉલ્લેખ કરે છે કે રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી દર છ મહિને જાહેર કરવામાં આવતું હતું પરંતુ કોરોના ની મહામારી ના કારણે આ ભથ્થુ સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે તાજેતરમાં વધતી જતી મોંઘવારીના કારણે રાજ્ય સરકારના સેવા રત કર્મચારીઓની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોવાનો એકરાર પત્રમાં વ્યક્ત કર્યો છે. અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓને જાન્યુ 2020 થી સ્થગિત કરેલું ડી. એ. સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરી છે એટલું જ નહિ મહામંડળ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે 11 ટકા મોંઘવારી ભથ્થુ આપ્યું છે ત્યારે ગુજરાત સરકારે પણ વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખી કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવો જોઈએ. ભારત સરકારના ત્રણ મોંઘવારી ભથ્થાના હપ્તા પેટે 11 ટકાનો વધારો કર્યો હોવાનો દાવો પણ પત્રમાં વ્યક્ત કર્યો છે. અને રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે અસહ્ય મોંઘવારીમાં રાજ્ય સરકારના સેવારત કર્મચારીઓને પણ ભારત સરકારની જેમ લાભ મળે તેવો નિર્ણય કરવા અપીલ કરી છે રાજ્ય સરકાર લાભ આપવાનો નિર્ણય કરશે તો તેનો સીધો લાભ ગુજરાતના 4.50 લાખ કર્મચારીઓ ઉપરાંત ત્રણ લાખ પેન્શનરોને સીધો લાભ થશે અને આ માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને કર્મચારી મહામંડળ દ્વારા પત્ર લખી અનુરોધ કર્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code