1. Home
  2. ગુજરાતી
  3. અલીગઢ લઠ્ઠાકાંડમાં મૃતકોનો આંકડો વધી 28 ઉપર પહોંચ્યો, બેદરકારી દાખવનારા ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી
અલીગઢ લઠ્ઠાકાંડમાં મૃતકોનો આંકડો વધી 28 ઉપર પહોંચ્યો, બેદરકારી દાખવનારા ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી

અલીગઢ લઠ્ઠાકાંડમાં મૃતકોનો આંકડો વધી 28 ઉપર પહોંચ્યો, બેદરકારી દાખવનારા ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં સર્જાયેલા લઠ્ઠાકાંટમાં મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમા ઝેરી દારૂ પીવાથી 28 લોકોના મોત થયાં છે. મોટાભાગના મૃતદેહના પીએમ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે ઝેરી દારૂની અસર હેઠળ અનેક લોકો હજુ સારવાર લઈ રહ્યાં છે. બીજી તરફ બેદરકારી બદલ સરકારે જિલ્લા આબકારી અધિકારી ધીરજ શર્મા, આબકારી નિરીક્ષક રાજેશ યાદવ, પ્રધાન સિપાહી અશોકકુમાર, નિરીક્ષક ચંદ્રપ્રદાશ યાદવ અને સિપાહી રામરાજ રાનાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલસ દ્વારા ત્રણ એફઆઈઆર નોંધવાની આવી છે. તેમજ મુખ્ય આરોપી અનિલ ચૌધરી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ બે વ્યક્તિઓ ફરાર છે. જેમની ઉપર 50-50 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલીગઢના કરસુઆ અને અંડલામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવને પગલે સીએમએ તપાસના આદેશ કર્યાં છે. તેમજ આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને તેની હજારી કરવામાં આવશે. જેમાંથી મળનારી રકમ મૃતકોના પરિવારજનોને આપવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં આરએલડી નેતા અનુલ ચૌધરી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભાજપ સાથે જોડાયેલા ઋષિ શર્મા અને વિપુન યાદવ હજુ ફરાર થઈ ગયા છે. આ પ્રકરણમાં કરસુઆ, કકોલા, અર્રાના, પત્રપેડાં તથા છેરત ગામાં દારૂના પાંચ ઠેકા સીલ કરવામાં આવ્યાં છે. તેમજ પોલીસે અહીંથી દારૂના જરૂરી નમૂના લઈને પરિક્ષણ અર્થે મોકલી આપ્યાં હતા. સમગ્ર પ્રકરણમાં પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code