1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં દશેરા પહેલા જ ફાફટા -જલેબી સહિત ફરસાણના વેપારીઓ સામે AMCની ચેકિંગ ઝૂંબેશ,
અમદાવાદમાં દશેરા પહેલા જ ફાફટા -જલેબી સહિત ફરસાણના વેપારીઓ સામે AMCની ચેકિંગ ઝૂંબેશ,

અમદાવાદમાં દશેરા પહેલા જ ફાફટા -જલેબી સહિત ફરસાણના વેપારીઓ સામે AMCની ચેકિંગ ઝૂંબેશ,

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળના બનાવો વધતા જાય છે. જેમાં તહેવારો દરમિયાન કેટલાક મીંઠાઈ અને ફરસાણના વેપારીઓ વધુ કમાણી કરવાની લાલચમાં બેરોકટોક ભેળસેળ કરતા હોય છે. ત્યારે અમદાવાદ સહિત મહાનગરોમાં મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ ઝબેશ શરૂ કરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિ.ના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા દશેરાના પર્વ પહેલા જ શહેરના મીઠાઈ તેમજ ફરસાણના વેપારીઓને ત્યાં તપાસણી કરીને સ્વચ્છતાથી લઈને ખાદ્ય ચિજ- વસ્તુઓની ગુણવત્તની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ.ની અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં જ ફાફડા અને જલેબીના 8થી 10 હજાર જેટલા સ્ટોલ બિલાડીના ટોપની જેમ ખૂલી જાય છે. ત્યારે ખાદ્યચીજોમાં મિલાવટ કરતા કે પછી ફરસાણ બનાવવામાં બળેલું તેલ વાપરતા વેપારીઓ સામે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. દશેરાના તહેવારમાં ફાફડા અને જલેબીના વેપારીઓ પર પણ એએમસીનું ફુડ વિભાગ બાજ નજર રાખી રહ્યું છે. દશેરાનું પર્વ શહેરના સ્વાદરસિકો ફાફડા જલેબીની જ્યાફત ઉડાવતા હોય છે. શહેરના ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે વહેલી સવારથી જ લોકોની કતારો જોવા મળે છે. ફાફડા જલેબીના વેપારને ધ્યાને લઈને જ શહેરના ફરસાણના વેપારીઓની સાથે સાથે મંડપ બાંધીને સ્ટોલ ઉભા કરીને પણ ઘણાં લોકો સ્પેશિયલ દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. એક અંદાજ મુજબ ફાફડા અને જલેબી માટે અલગથી મંડપ ઉભા થાય તેવા 8થી 10 હજાર સ્ટોલ લાગતા હોય છે અને દશેરાના દિવસે કરોડો રુપિયાના ફાફડા જલેબી લોકો આરોગી જાય છે. પરંતુ ઘણીવાર ફરસાણના વેપારીઓ વધુ નફાખોરી કરવા સફાઈના કે પછી લોકોના આરોગ્યને લગતા તમામ નિયમોને નવે મૂકી દેતા હોય છે. આવા વેપારીઓ સામે એએમસીના આરોગ્ય વિભાગે ચેકિંગ ઝૂંબેશ આદરી છે.

એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફરસાણના વેપારીઓને ત્યાં દશરેના પર્વ પહેલાં જ ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એક જ તેલમાં વારંવાર ફરસાણ બનાવતા વેપારીઓ સામે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ મશીન દ્વારા તેલનું ટોટલ પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના મતે આ મશીન દ્વારા તેલના ચેકિંગ દરમિયાન ટોટલ પોલાર કાઉન્ડ 25થી વધુ આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. મશીન ચેકિંગમાં જ રેડ સિગ્નલ બતાવી દે છે જેથી તે તેલ ઉપયોગ લાયક નથી તેવો ખ્યાલ આવી જાય છે. આ પ્રકારે હાલ ફરસાણના અને ખાસ કરીને ફાફડા જલેબી બનાવતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેલના સેમ્પલ લઈને પણ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code