Site icon Revoi.in

અમેરિકાએ ગયા વર્ષે ગેરકાયદે રીતે રહેતા 1368 ભારતીયોને પરત મોકલ્યાં હતા

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાથી ભારતીયોને પાછા મોકલવા અંગે સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ અનેક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ આ અંગેનો જૂનો ડેટા પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, વર્ષ 2009 માં 734 લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, 2013 માં 550 લોકોને ભારત મોકલવામાં આવ્યા. 2019 માં 2042, 2020 માં 1889 અને 2021 માં 805 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે, 2022 માં 862, 2023 માં 670 અને 2024 માં 1368 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અમેરિકાએ ફક્ત તે લોકોને જ પાછા મોકલ્યા છે, જેઓ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

તેમણે કહ્યું કે, 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકા ફ્લાઇટ માટે અગાઉની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમે ચોક્કસપણે યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી ખાતરી કરી શકાય કે દેશનિકાલ કરાયેલા લોકો ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર ન કરે.
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા દેશનિકાલનું આયોજન અને અમલ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિમાન દ્વારા દેશનિકાલ માટેના એસઓપી, જે 2012થી અમલમાં છે, તેમાં નિયંત્રણની જોગવાઈ છે. કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે મહિલાઓ અને બાળકોને રોકવામાં આવતા નથી.

એસ જયશંકરે કહ્યું કે, અમે US સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી ખાતરી કરી શકાય કે પરત ફરતા ડિપોર્ટીઓ સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગઈકાલે તેના લશ્કરી વિમાન દ્વારા ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા 104 ભારતીયોને અમૃતસર (ભારત) એરપોર્ટ પર મોકલ્યા હતા, જેમને બાદમાં તેમના ગંતવ્ય રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યા હતા. આમાં 25 મહિલાઓ અને 12 સગીર છે.