1. Home
  2. ગુજરાતી
  3. અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 
અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

0
Social Share
  • અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે
  • 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ
  • ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન ‘ખોલા હવા’ (ઓપન એર) દ્વારા આપવામાં આવ્યું હતું અને તેની વિનંતી પર, શાહ આ કાર્યક્રમમાં ટાગોરના આદર્શો પર બોલવા માટે સંમત થયા હતા.

સાંસ્કૃતિક સંસ્થાના નિર્દેશક દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમિતજી ટાગોરની ફિલસૂફી અને આધ્યાત્મિકતાથી પ્રેરિત છે. તેઓ ગુરુદેવે આ દેશના લોકો પર વર્ષોથી જે અસર કરી છે તેના વિશે વાત કરશે.” સંગઠનના ઘણા સભ્યો ભાજપ સાથે જોડાયેલા છે.

ઉલ્લેખનીય છે કે,અમિત શાહ કાર્યક્રમ હેતુ અનેક રાજ્યોની મુલાકાત લેતા જ હોય છે.આ પહેલા ચુંટણી રાજ્ય કર્ણાટકની પણ મુલાકાત લીધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code