1. Home
  2. ગુજરાતી
  3. આંધ્રપ્રદેશઃ ગેસનો બાટલો ફાટતા 4 વ્યક્તિઓના મોત
આંધ્રપ્રદેશઃ ગેસનો બાટલો ફાટતા 4 વ્યક્તિઓના મોત

આંધ્રપ્રદેશઃ ગેસનો બાટલો ફાટતા 4 વ્યક્તિઓના મોત

0
Social Share

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુલ્કલેડુ ગામમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ચાર વ્યક્તિઓના મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. બીજી તરફ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અનંતપુર જિલ્લાના મુલ્કલેડુ ગામમાં એક મકાનમાં ગેસનો બાટલો ફાટતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનાને પગલે મકાનને નુકશાન થયું હતું. આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. સિલિન્ડર ફાટતા આસપાસના મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે. તેમજ બનાવનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code