1. Home
  2. ગુજરાતી
  3. બાબા વેંગાએ ભારત વિશે કરી ખતરનાક ભવિષ્યવાણી,આવી રહી છે મોટી મુશ્કેલી!
બાબા વેંગાએ ભારત વિશે કરી ખતરનાક ભવિષ્યવાણી,આવી રહી છે મોટી મુશ્કેલી!

બાબા વેંગાએ ભારત વિશે કરી ખતરનાક ભવિષ્યવાણી,આવી રહી છે મોટી મુશ્કેલી!

0
Social Share

દિલ્હી:બાબા વેંગાએ ભારત વિશે ખતરનાક ભવિષ્યવાણી કરી છે, જેનાથી લોકોની ચિંતા વધી શકે છે. બાબા વેંગાએ આ વર્ષે ભારતમાં ભયંકર દુકાળની ચેતવણી આપી છે.તેમનું કહેવું છે કે,ભારતમાં લોકો ભોજન માટે તરસી શકે છે. આ એ જ બાબા વેંગા છે જેમની ભવિષ્યવાણીઓ 85 ટકા સાચી હોવાનું કહેવાય છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે.

બાબા વેંગાએ ભારત વિશે ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે એટલે કે 2022માં એક દુર્ઘટના થવાની છે. તેમના મતે, આ વર્ષે ભારતમાં કુદરતી હુમલો એટલે કે ઘાતક તીડનો હુમલો આવશે, જેનાથી ઘણું નુકસાન થશે.તેઓ માને છે કે,આ હુમલાને કારણે સમગ્ર ભારતમાં દુકાળ પડશે.બાબા વાંગાના જણાવ્યા અનુસાર, વિશ્વમાં જે રીતે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના કારણે એવા હુમલા થશે જે મોટા પ્રમાણમાં પાકને નષ્ટ કરશે અને તેના કારણે અનાજની તીવ્ર અછત સર્જાશે.

બાબા વેંગાએ ઓસ્ટ્રેલિયા અને એશિયાઈ દેશોમાં પૂરની આગાહી કરી હતી જે સાચી પડી છે. ઑસ્ટ્રેલિયામાં પૂરના કારણે સમસ્યા વધી ગઈ. તે જ સમયે, પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ સિવાય બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે ઘણા શહેરોમાં પાણીની તંગી રહેશે, જે સાચી પડી છે.પોર્ટુગલ સિવાય ઇટાલીના ઘણા શહેરો આ વર્ષે દુષ્કાળની ઝપેટમાં છે.

બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા છે, જે બલ્ગેરિયાઈ નાગરિક છે.એવું કહેવાય છે કે 12 વર્ષની ઉંમરે, બાબા વેંગા એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે અંધ થઈ ગયા હતા.બાબા વેંગા તેમની આગાહીઓ સાચી પડવા માટે જાણીતા છે.પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ, સોવિયેત યુનિયનનું વિસર્જન, 2004માં થાઈલેન્ડની સુનામી, 9/11નો આતંકી હુમલો, બ્રેક્ઝિટ, બરાક ઓબામાનું પ્રેસિડેન્ટ અને બીજી ઘણી મહત્વની ઘટનાઓ જેવી તેમના દ્વારા કરવામાં આવેલી કેટલીક આગાહીઓ સાચી પડી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code