નવી દિલ્હી: મેસ્સી કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે રાજીનામું આપ્યું છે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. યુવા ભારતી કૌભાંડને લગતા ચાલી રહેલા વિવાદ વચ્ચે અરૂપ બિસ્વાસને રમતગમત વિભાગ છોડવાનું કહેવામાં આવ્યું હતું.

