1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભ્રષ્ટ્રાચાર સામેની જંગમાં ઢીલાશ નહીં મુકવા ભૂપેન્દ્ર પેટલે એસીબીના અધિકારીઓને કરી અપીલ
ભ્રષ્ટ્રાચાર સામેની જંગમાં ઢીલાશ નહીં મુકવા ભૂપેન્દ્ર પેટલે એસીબીના અધિકારીઓને કરી અપીલ

ભ્રષ્ટ્રાચાર સામેની જંગમાં ઢીલાશ નહીં મુકવા ભૂપેન્દ્ર પેટલે એસીબીના અધિકારીઓને કરી અપીલ

0
Social Share

અમદાવાદઃ ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે તેના મૂળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્‍ગ પોલિટીકલ વિલ છે. મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં સૌને પ્રેરણા આપતા મનનીય વક્તવ્ય દ્વારા પોતાની આધ્યાત્મિકતા અને વાકછટાનો આગવો પરિચય કરાવ્યો હતો.

તેમણે કહ્યું કે, જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા ACB કરે છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ખોટું કરનારાઓને સજાની શરૂઆત  વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વમાં થઇ છે અને ઝિરો ટોલરન્સનો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સુખની વ્યાખ્યા માત્ર ભૌતિક સુખ સગવડની જ નથી, આંતરિક સુખ જ સાચું સુખ છે. આજના સમયમાં ભૌતિક સુખની પાછળ મનુષ્ય રચ્યો-પચ્યો રહે છે. સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો, આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવા ની નોબત આવે છે. આવી આવકના સુખમાં તો પરિવારના સૌ ભાગીદાર બને, પરંતુ જ્યારે ગુનાની સજા થાય ત્યારે જે તે વ્યક્તિએ એકલા એજ ભોગવવી પડે છે. આ સંદર્ભમાં તેમણે વાલિયા માંથી વાલ્મીકી ઋષીનું ઉદાહરણ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ ACBના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, ખોટું કરનારાને સજા તો થાય છે જ ત્યારે આપણે પણ સરકારના નિયમો પાળીએ અને અન્ય પાસે પણ પળાવીએ તે જરૂરી છે. ACB અધિકારીઓને ભ્રષ્ટાચાર-કરપ્શન સામેના જંગમાં ઢિલાશ ન  પડવાની પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર પણ સાચા કામમાં તમારી પડખે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047નો વડાપ્રધાનનો સંકલ્પ પાર પાડવામાં વિકસિત ગુજરાત થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ACB કર્મીઓને પોતાનું અગ્રિમ યોગદાન આપવા પણ આહવાન કર્યુ હતું.

રાજ્યની સ્કૂલના બાળકો પણ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાય તે હેતુથી લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા ‘ભ્રષ્ટાચારની પોલ ખોલો’  વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન સતર્કતા સપ્તાહ અંતર્ગત  કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પ્રથમ ત્રણ નિબંધ લેખન વિજેતા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે આ શિબિરમાં સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, સમાજમાં ભ્રષ્ટાચારનું દુષણ અટકાવવા માટે આ ચિંતન શિબિર ખૂબ જ મહત્વની સાબિત થશે એટલું જ નહીં આ શિબિર આજના સમયની માંગ છે. ભ્રષ્ટાચાર એ સમાજમાં રહેલી ઉધ‌ઈ છે જે સમાજ અને દેશને અંદરથી ખોખલો બનાવે છે, વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારના દૂષણને ડામવા  માટે તંત્રમાં વધુને વધુ પારદર્શકતા લાવી પડશે. RTI જેવા મજબૂત કાયદાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. કોઈ નાગરિક નથી ઈચ્છતો કે તે લાંચ આપે તો આપણે તેના આ સંકલ્પને સહયોગ કરવો જોઈએ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code