પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિનો જન્મ દિવસ, વાંચો કેવી રહી તેની અત્યાર સુધીની સફર
- સુરભી જ્યોતિ ઉજવી રહી છે પોતાનો જન્મદિવસ
- અનેક ટીવી સીરિયલમાં કર્યુ કામ
- પોતાની મહેતનથી મેળવી ટીવી સીરિયલ જગતમાં નામના
મુંબઈ : પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિ આજે તેનો 33 મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસે પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. નાગિન 3 માં તેમનું બેલા નાગરાણીનું પાત્ર તમામ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. જે બાદ તે ખૂબ ચર્ચામાં રહે છે.
બિઝનેસ ફેમીલીમાંથી સંબંધ ધરાવતી સુરભી જ્યોતિને તેના પરિવારના લોકો તેને પ્રેમથી ફ્રુટ્ટી કહીને બોલાવે છે. સુરભી રેડિયો જોકી તરીકે પણ કામ કરી ચૂકી છે. તેને શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મો અને સિરિયલોથી કરી હતી. સુરભીએ ભલે ઘણા ટીવી શોઝ, ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું હોય, પરંતુ તેની ઓળખ ‘કુબૂલ હૈ’ શોના પ્રખ્યાત પાત્ર ઝોયાથી મળી છે. કરણ સિંહ ગ્રોવરની સાથે તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી.આ શોને કારણે તેને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા.
તેની સફળતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ‘કુબૂલ હૈ સીઝન 2 ‘ પણ શરૂ કરી દીધી છે. આ સિવાય સુરભીએ ‘તન્હાઇયાં’ અને ‘કોઈ લૌટ કે આયા હૈ’ સિરિયલોમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. પરંતુ નાગિન 3 માં બેલાની ભૂમિકા નિભાવ્યા પછી, તે ફરી એક વખત હેડલાઇન્સમાં આવી.
સુરભી માત્ર ટેલેન્ટેડ જ નહીં, પરંતુ એક સારી પર્સનાલિટીવાળી ખૂબ જ સુંદર અને ફેશનની સારી સમજણ રાખનારી એક્ટ્રેસ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સુરભીની સારી એવી ફેન ફોલોઇંગ છે.