1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત
ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત

ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત

0
Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સીસી કેમેરાથી ટ્રાફિક ભંગ ગુનાના હજારો કેસ વાહન માલિકો સામે નોંધાયેલા છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો મોકલીને દંડ વસુલાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ટ્રાફિક અને આ-મેમોના મુદ્દે ગૃહરાજ્યમંત્રીને રજુઆત કરી છે.

રાજકોટ શહેરમાં ઈ-મેમો અને ટ્રાફિકના કારણે નાગરિકો પરેશાન બન્યા છે. ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે નાગરિકો પિસાઈ રહ્યા છે. ત્યારે ઈ-મેમો મામલે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, ઈ-મેમો મામલે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. આ મામલે ગૃહ મંત્રીને પણ રજૂઆત કરવામાં છે. સાથે જ ધારાસભ્ય ગોવિંદ પટેલે આગામી સમયમાં આ સમસ્યાનુ નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી હતી.

રાજકોટમાં ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા મામલે ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું કે, ટ્રાફિકની સમસ્યા અંગેની વિચારણા, અંડર બ્રીજ, ઓવર બ્રીજ વગેરે એ રાતોરાતની પ્રક્રિયા નથી. એના માટે સમય લાગતો હોય છે અને સમય પ્રમાણે એની કાર્યવાહી ચાલુ છે. આગામી દિવસોમાં નાગરિકોની અપીલ મુજબ ગંભીરતાથી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. ભવિષ્યમાં આ સમસ્યામાંનું કેવી રીતે નિરાકારણ લાવી શકાય એ મામલે આગળ એનો રસ્તો કરવામાં આવશે. ઈ-મેમો બંધ કરવા મામલે પણ ગૃહ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે.  રાજ્યના તમામ મહાનગરોમાં થર્ડ આઈ પ્રોટેક્શનની સુવિધા આપવામાં આવી છે. અને ઠેર ઠેર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સીસીટીવીનો વાસ્તવિક ઉપયોગ તો ટ્રાફિક પોલીસે કર્યો હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ટ્રાફિક ભંગના અનેક ગુનાઓ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે છેલ્લાં પાંચ વર્ષમાં વાહન ચાલકોને 180 કરોડનો દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ ટ્રાફિક પોલીસે 24.30 લાખ વાહન ચાલકોને ઈ-મેમો ફટકાર્યો છે. જો કે, આમાંથી રુપિયા 150 કરોડનો દંડ હજુ સુધી ભરાયો નથી. નાગરિકોની એવી રજૂઆત છે કે, શહેરના લોકો માટે થર્ડ આઈ પ્રોટેક્શન સીસીટીવી પ્રોજેક્ટ દંડાત્મક બની રહ્યો છે. બીજી તરફ, વાહન ચાલકોએ પોલીસ પર એવા પણ આક્ષેપ કર્યા છે કે ટ્રાફિક પોલીસ આ પ્રોજેક્ટનો દુરુપયોગ કરી રહી છે. મહત્વનું છે કે, રાજકોટને સુરક્ષિત રાખવા માટે આઈવે પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. શહેરમાં બનતા ગુનાઓ જેવા કે ચોરી, લૂંટફાટ વગેરે ટાળવા માટે થર્ડ આઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ સરકારે 70 કરોડનો જંગી ખર્ચ કર્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા અને ઈ-મેમોના કારણે શહેરીજનો બરાબરના અકળાયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code