1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પ્રજાસત્તાક દિવસ પર દેશના મુખ્ય મહેમાન બનશે – પીએમ મોદીને પણ મળ્યું જી7 માટે આમંત્રણ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પ્રજાસત્તાક દિવસ પર દેશના મુખ્ય મહેમાન બનશે – પીએમ મોદીને પણ મળ્યું જી7 માટે આમંત્રણ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પ્રજાસત્તાક દિવસ પર દેશના મુખ્ય મહેમાન બનશે – પીએમ મોદીને પણ મળ્યું જી7 માટે આમંત્રણ

0
Social Share
  • બ્રિટનના વિદેશમંત્રીએ એસ જયશંકર સાથે કરી મુલાકાત
  • બ્રિટનના પર્ધાનમંત્રીએ સ્વીકાર્યું આમંત્રણ
  • ગણતંત્ર દિવસ પર બ્રિટનના વડાપ્રધાન દેશના મુખ્ય મહેમાન બનશે

દિલ્હીઃ-વિદેશ મંત્રી એસ જયશંકરએ બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રૈબ સાથે મંગળવારના રોજ મુલાકાત કરી હતી , મનુલાકાત દરમિયાન વેપાર, સંરક્ષણ, શિક્ષણ, પર્યાવરણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા બાબતે વાતચીત કરવામાં આવી હતી. રૈબત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે જ્યારે બ્રિટન બ્રેક્ઝિટ બાદ વેપાર સમજોતો કરવા માટે યૂરોપીય સંઘ સાથે વાતાઘાટો કરી રહ્યા છે. તેઓ 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ભારતની મુલાકાતે આવ્યા છે.

આ વાતચીત દરમિયાન વિદેશ સચિવે કહ્યું કે બ્રિટિશ મુખ્ય પ્રધાન બોરીસ જ્હોનસને મુખ્ય મહેમાન તરીકે પ્રજાસત્તાક દિનમાં મુખ્ય મહેમાન તરીકે આવવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે,આ સમયગાળા દરમિયાન તેને એક મહાન સન્માન ગણાવીને, બ્રિટને પ્રધાનમંત્રી મોદીને જી 7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે, જેનું આયોજન બ્રિટન દ્રારા કરવામાં આનવાર છે.

આ વાતચીત બાદ વિદેશ પ્રધાને કહ્યું કે, અમારા સંબંધોને ઉચ્ચ સ્તરે કેવી રીતે લઈ જઈ શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમે 5 વ્યાપક થીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં લોકોને જોડવા, વેપાર અને સમૃદ્ધિ, સંરક્ષણ અને સુરક્ષા, હવામાન પરિવર્તન અને આરોગ્યનો સમાનેશ થાય છે. અમે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને ગલ્ફ દેશો અને ભારત-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધિત પ્રવૃત્તિઓની સમીક્ષા કરી.

બ્રિટનના વિદેશ સચિવ એ જણાવ્યું હતું કે ‘મને આનંદ છે કે વડા પ્રધાન બોરીસ જ્હોન્સને વડા પ્રધાન મોદીને આવતા વર્ષે યોજાનાર જી 7 શિખર સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. યુકેના વડા પ્રધાન જોહ્ન્સનને પણ જાન્યુઆરીમાં ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા માટેનું આમંત્રણ પણ સ્વીકાર્યું છે, જે એક મહાન સન્માન છે. અમે 2021 માં બ્રિટનના જી 7 ના રાષ્ટ્રપતિ અને સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન પરિષદની રાહ જોઇશું. યુએન સુરક્ષા પરિષદમાં ભારતનું પરત આવવાનું અમે સ્વાગત કરીએ છીએ. ‘

ઉલ્લખેનીય છે કે, યુકે બ્રેક્ઝિટને ધ્યાનમાં રાખીને ભારત જેવા અગ્રણી અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code