1. Home
  2. ગુજરાતી
  3. હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

0
Social Share

જો તમે પણ જૂનું સોનું અને સોનાના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર આપના માટે અગત્યના છે. કારણ કે હવે જૂના સોના અને ગોલ્ડ જ્વેલરીને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. કેરળના નાણામંત્રી થોમર્સ ઇસાકે આ જાણકારી આપી હતી. આ નિર્ણય બાદ લોકોને જૂના સોનાના ઘરેણા વેચવા પર નફો પહેલા કરતા ઓછો મળશે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર હાલમાં રાજ્યોના નાણાં મંત્રીના એક સમૂહમાં જૂના સોના અને આભૂષણોના વેચાણ પર 3 ટકા જીએસટી લગાવવા પર લગભગ સહમતિ બની ગઇ છે.

આ મંત્રીઓના સમૂહમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક તેમજ પશ્વિમ બંગાળના મંત્રીઓનો સમાવેશ થાય છે. આ મંત્રી સમૂહનું ગઠન સોના તથા બહુમૂલ્ય રત્નોના પરિવહન માટે ઇ વે બિલની સમીક્ષા માટે કરવામાં આવ્યો છે.

સોનાના વેચાણ પર 3 ટકા જીએસટી આરસીએમ દ્વારા લગાવવામાં આવશે. હવે સમિતિના અધિકારીઓ આ નિયમો પર વિચારણા હાથ ધરશે. આ નવો નિયમ લાગૂ કર્યા બાદ ઝવેરી જૂના આભૂષણ તમારી પાસેથી ખરીદે તો તે રિવર્સ મૂલ્ય રૂપે 3 ટકા જીએસટી તમારી પાસેથી વસૂલશે. ઉદાહરણ તરીકે તમે એક લાખ રૂપિયાના દાગીના વેચશો તો જીએસટી તરીકે તમારી પાસેથી 3 હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવશે.

હવે ટેક્સ ચોરીને રોકવા માટે સોના અને ચાંદીના દાગીનાઓની દુકાન ધરાવતા દુકાનદારોએ પ્રત્યેક ખરીદ અને વેચાણ માટે ઇ-ઇનવોઇસ બિલ બનાવવું પડશે. આ નિર્ણયથી ટેક્સ ચોરી અટકશે અને બ્લેક મનીનું દુષણ પણ નાથી શકાશે.

(સંકેત)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code