1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. કપૂર ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરશે,તેને આ દિશામાં સળગાવવાથી થશે લાભ
કપૂર ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરશે,તેને આ દિશામાં સળગાવવાથી થશે લાભ

કપૂર ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરશે,તેને આ દિશામાં સળગાવવાથી થશે લાભ

0
Social Share

પૂજામાં વપરાયેલ કપૂર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કપૂરની સુગંધથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનમાં વધારો થાય છે. વાસ્તુશાસ્ત્રમાં કપૂરના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે.

આર્થિક સ્થિતિ મજબૂત બનશે

ઋણમાંથી મુક્તિ મેળવવા અને જીવનમાં ધન પ્રાપ્તિ માટે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં કપૂર સળગાવો. તેનાથી પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

વિવાહિત જીવન સુખમય બનશે

જો તમારા વિવાહિત જીવનમાં કોઈ પ્રકારનો કલેશ – કંકાશ છે તો સૂતી વખતે ઓશીકા નીચે થોડું કપૂર રાખો. બીજા દિવસે આ કપૂર સળગાવી દો. તેનાથી તમારા ઘરમાં હંમેશા શાંતિ બની રહેશે અને પતિ-પત્ની વચ્ચેના વિવાદો પણ દૂર થશે.

પૈસાની અછત દૂર થશે

માન્યતાઓ અનુસાર રાત્રે રસોડાના તમામ કામ પતાવીને દરરોજ ચાંદીના વાસણમાં થોડો કપૂર અને લવિંગ સળગાવી દો. જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે.

પિતૃદોષ દૂર થશે

પિતૃદોષ દૂર કરવા માટે ઘરના બાથરૂમમાં દરરોજ 2 કપૂર ટિક્કી રાખો. માન્યતાઓ અનુસાર આ ઉપાય કરવાથી પિતૃ દોષ દૂર થશે.

નકારાત્મક ઉર્જા દૂર થશે

અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ઘરના એવા રૂમમાં કપૂર સળગાવો જે રોજનો ઉપયોગ ન થતો હોય. તેનાથી રૂમમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code