1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

ચૂંટણી પંચ: બંગાળ અને તમિલનાડુમાં રૂ. 1000 કરોડથી વધુની માલમત્તા જપ્ત

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાનના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે આ બંને રાજ્યોમાં લોભ-લાલચ વગરના મુક્ત અને ન્યાયી મતદાન માટે કમર કસી છે. 23 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે પંચે આ બંને રાજ્યોમાં સંયુક્ત રીતે 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત […]

ખાનગી શાળાઓની મનમાની પર NHRCની કાર્યવાહી: ખાનગી પ્રકાશકોના પુસ્તકો થોપવા બદલ તમામ રાજ્યોને નોટિસ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: દેશભરની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ખાનગી પબ્લિકેશનના મોંઘા પુસ્તકો ખરીદવા માટે કરવામાં આવતા દબાણ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (એનએચઆરસી) ગંભીર નોંધ લીધી છે. વાલીઓની વ્યાપક ફરિયાદો અને ‘નમો ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ, પંચે આ મુદ્દે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણી કરતા […]

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?

ટ્રમ્પે ભારત અને ચીનને ‘હેલહોલ’ કહેતો માઈકલ સેવેજનો પત્ર શેર કર્યો જન્મસિદ્ધ નાગરિકતા અને પ્રવાસીઓ વિશે કરી વંશીય ટિપ્પણી વૉશિંગ્ટન ડીસી, 23 એપ્રિલ, 2026 – અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી છે. ઈરાન સાથેના યુદ્ધમાં નિર્ણયક પરિણામ નહીં આવતા અને દેશમાં જો તેમના નેતૃત્વના વિરોધનો સામનો કરી રહેલા ટ્રમ્પ હવે અમેરિકી જમણેરી પરિબળોનાં […]

પાકિસ્તાને લશ્કર અને જૈશ સામે આકરી કાર્યવાહી કરવી જોઈએઃ અમેરિકાન સાંસદ

વોશિંગ્ટન , 23 એપ્રિલ 2026: અમેરિકાના પ્રભાવશાળી સાંસદ બ્રેડ શર્મને પાકિસ્તાનને આડે હાથ લેતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે પોતાની ધરતી પર પલતા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર તાત્કાલિક નકેલ કસે. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ‘આતંકવાદની માનવીય કિંમત’ વિષય પરની એક વિશેષ પ્રદર્શનમાં શર્મન સહિત અનેક અમેરિકી નેતાઓએ પાકિસ્તાનના બેવડા […]

બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના કાર્યકરો અને ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (એયુજેપી)ના સ્થાપક હુમાયુ કબીર વચ્ચે જોરદાર અથડામણ થતા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કબીર અગાઉ થયેલા બોમ્બ વિસ્ફોટના સ્થળની મુલાકાતે […]

નેપાળના રાજકારણમાં ભૂકંપ: સત્તા સંભાળ્યાના માત્ર 26 દિવસમાં ગૃહમંત્રીનું રાજીનામું

કાઠમંડુ, 22 એપ્રિલ 2026: નેપાળની નવનિર્મિત બાલેન શાહ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સરકારની રચનાના માત્ર 26 દિવસ બાદ જ ગૃહમંત્રી સુડાન ગુરુંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મની લોન્ડરિંગના કેસમાં વિવાદિત ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે નામ જોડાતા અને પક્ષમાં આંતરિક દબાણ વધતા ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. બીજી તરફ ઝેન-જીએ […]

ગુજરાત યુનિવર્સિટી – ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના MoU રિન્યુ કરવામાં આવ્યા

ઓસાકા/અમદાવાદ, 22 એપ્રિલ, 2026 – ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચે સહયોગ માટેના પાંચ દાયકા જૂના MoU રિન્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીએ 22 એપ્રિલ, 2026ના રોજ જાપાનના ઓસાકાની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી સાથેના તેના 56 વર્ષ જૂના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) રિન્યુ કર્યા છે એટલું જ નહીં પરંતુ સમય અનુસાર તેમાં અપગ્રેડેશન […]

ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ

તહેરાન, 22 એપ્રિલ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સ્થિતિ વધુ વણસી રહી છે. શાંતિ વાર્તાનો બીજો તબક્કો રદ થયા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરની ઘટનામાં ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે એક કન્ટેનર જહાજને નિશાન બનાવતા આંતરરાષ્ટ્રીય જળસીમામાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ, ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 દરિયાઈ માઈલ દૂર […]

શેરીના જે શ્વાનોને દરરોજ રોટલી ખવડાવતા હતા તેમણે જ મહિલાનો મૃતદેહ શોધી આપ્યો

6 દિવસથી ગુમ મહિલાની હત્યાનો ભેદ બે રખડતા શ્વાને ઉકેલ્યો; ‘શેરૂ’ અને ‘રોકી’ની વફાદારીની નવી મિસાલ હરિયાણા, 22 એપ્રિલ, 2026 – શેરીના જે શ્વાનોને દરરોજ રોટલી ખવડાવતા હતા તેમણે જ મહિલાનો મૃતદેહ શોધવામાં મદદ કરી હોવાનો આશ્ચર્યજનક કિસ્સો અહીં બન્યો છે. હરિયાણાના ફરીદાબાદની આ એવી ઘટના છે જેણે વફાદારીની નવી મિસાલ પેશ કરી છે. અહીંના […]

એ હિન્દુ હત્યાકાંડ હતોઃ પહલગામ આતંકી હુમલાની વરસીએ શુભમના પત્નીએ વ્યક્ત કરી પીડા

કાનપુર, 22 એપ્રિલ, 2026: એ હિન્દુ હત્યાકાંડ હતો અને એ રીતે યાદ રાખવો જોઈએ તેમ પહલગામ આતંકી હુમલાની વરસીએ એક વર્ષ પહેલાં આ દિવસે કાશ્મીરમાં જેહાદીઓનો શિકાર બનેલા શુભમના પત્નીએ પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું. કાનપુરના વેપારી શુભમ દ્વિવેદી તે 26 લોકોમાં સામેલ હતા જેમણે બરાબર એક વર્ષ પહેલા કાશ્મીરના પ્રવાસ સ્થળ પહલગામમાં જેહાદી હુમલામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code