1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, સરેરાશ 57.75 ટકા મતદાન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠકોની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ચૂંટણીમાં સરેરાશ 57.75 ટકા મતદાન થયું હતું. જો કે હજુ ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે  મતદાનના આંકડા જાહેર કરાયા નથી તેથી મતદાનની ટકાવારીમાં એક-બે ટકાની વધઘટ થઈ શકે છે. પ્રાથમિક અહેવાલો મળ્યા તે મુજબ અમરેલી જિલ્લામાં 52.73 ટકા, ભરૂચ જિલ્લામાં 59.36 ટકા, […]

ગુજરાત ચૂંટણીઃ સુરતના મેયર અને રાજકોટમાં આપના નેતા સાઈકલ લઈને મતદાન કરવા પહોંચ્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનુ મતદાન હાલ ચાલી રહ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં મેયર સાઈકલ લઈને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. જ્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા મોંઘવારીના વિરોધમાં સાઈકલ લઈને મતદાન મથક પહોંચ્યાં હતા. એટલું જ નહીં તેઓ સાઈકલની પાછળ ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઈને ગયા હતા. […]

ગુજરાત ચૂંટણી 2022: વિજય રુપાણી, સી.આર.પાટીલ અને અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારે કલાકથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર નેતા વજુભાઈ વાળા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ વહેલા મતદાન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર મતદાન શરૂ, 3 કલાકમાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. 3 કલાક સુધી પ્રથમ તબક્કામાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ મતદાન કર્યું હતું. તેમજ મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં બે તબક્કામાં […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 […]

કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીઃ નારાજ જી-23 જૂથ મનિષ તિવારીને ચૂંટણી મેદાનમાં ઉતારશે

નવી દિલ્હીઃ પ્રમુખની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભારે હલચલ જોવા મળી રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનો નારાજ જી-23 જૂથ અધ્યક્ષ પદને લઈને એકમત નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શશિ થરૂરને આ જૂથ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવામાં આવી રહી છે, પરંતુ હવે માહિતી સામે આવી છે કે થરૂરના નામને […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AAP અને છોટુ વસાવાની BTP વચ્ચેના જોડાણનું બાળમરણ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી અને આદિવાસી નેતા છોટુ વસાવાની ભારતિય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે મહિનાઓ પહેલા કરાયેલા ચૂંટણી જોડાણનું બાળ મરણ થયું છે.  ગુજરાતમાં આમ આદમી પાર્ટી  ભાજપને ટક્કર આપવા પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરવા આકાશપાતળ એક કરી રહી છે. ‘આપ’ ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બનવાનો પ્રયાસ […]

નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ  પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code