1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક પૂરના પાણીને લીધે 7 હરણના મોત

એક બચ્ચા સહિત પાંચ કાળિયારના રેસ્ક્યુ કરાયા, વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક અને મોબાઇલ સ્કવોર્ડ દ્વારા કામગીરી કરાઈ, વેળાવદર કાળિયાર અભ્યારણ્યમાં બે હજારથી વધુ કાળિયાર વસાવટ ભાવનગરઃ  શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે નુકશાનો ચિતાર મળી રહ્યો છે. ભારે વરસાદને લીધે કાળુભાર, ઘેલો સહિત અનેક નદીમાં ઘોડાપૂર આવતા ભાલ વિસ્તારમાં સરોવરની જેમ પાણી ભરાયેલા જોવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ભવનોમાં છતમાંથી પોપડા પડતા વિદ્યાર્થીઓમાં ભય

યુનિના 4 દાયકા જૂના ભવનો જર્જરિત બન્યા, કેટલાક ભવનોમાં છતમાંથી પાણી ટપકે છે, યુનિએ બાંધકામ વિભાગને ત્વરિત કાર્યવાહી કરવા સુચના આપી રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક ભવનો ચાર દાયકાથી જુના છે. તેથી સામાન્ય વરસાદમાં પણ ભવનોના ધાબા પરથી પાણી ટપકવા લાગે છે. જ્યારે એક ભવનમાં તો પોપડા પડી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડર અનુભવી […]

વડોદરામાં વાઘોડિયા રોડ પર ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત

M S યુનિમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સ્કૂટરચાલક યુવતીના મોતથી ગમગીની, પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી, અકસ્માત સ્થળે લોકોના ટાળાં એકઠા થયા વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા રોડ પર બન્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા  સ્કૂટરચાલક […]

અમદાવાદને હરિયાળું બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે

મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપા ખરીદશે, પ્રતિ રોપાદીઠ રૂ.328 જેટલો ખર્ચ થવાનો અંદાજ, મ્યુનિના 157 પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે અમદાવાદઃ શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 લાખ રોપા વવાશે. આ માટે મ્યુનિ. ખાનગી એજન્સી પાસેથી 21 લાખ રોપાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ રોપાનો ભાવ રૂ.79 થવા જાય છે. જ્યારે […]

અમદાવાદમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બોપલની સ્ટર્લિંગ સિટીમાં બે ફુટ પાણી ભરાયા, અખબારનગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસમાં પાણી ભરાયા, નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયા અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. આજે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો ગોરંભાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા, બુધવારે મોડી રાત્રે 1 વાગ્યા […]

ગુજરાતના 206 જળાશયોમાં નવા પાણીની આવક, 9 જળાશયો ઓવરફ્લો થયાં

નર્મદા ડેલમાં હાલ 51 ટકા જેટલા પાણીનો જથ્થો 25 જેટલા ડેમ 70 ટકાથી વધારે ભરાયાં રાજ્યના 15 ડેમ ઉપર હાઈએલર્ટ જાહેર કરાયું ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન નવ જેટલા ડેમ છલકાયાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા […]

ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના […]

અમદાવાદ પ્લેનક્રેશઃ 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

ગાંધીનગરઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. જોષીએ કહ્યું, 173 […]

અમદાવાદમાંથી બિશ્નોઈ ગેંગનો સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી અનેક ગુનામાં સંડોવાયેલો છે, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો, હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી ત્રણ વર્ષથી ફરાર હતો અમદાવાદઃ શહેરમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના સાગરિતને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આરોપી વિવિધ રાજ્યોમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અને ત્રણ વર્ષથી આરોપી ફરાર હતો. ત્રણ વર્ષ પહેલા શહેરના પંચવટી […]

ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં પડ્યો વરસાદ, આહવામાં 5 ઈંચ

સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવણી માટે ઉઘાડ નીકળવાની રાહ જોઈ રહ્યા છે, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગ-આહવામાં 5 ઈંચ, ડાંગના સુબીરમાં 3.39 ઈંચ,સોમનાથ-વેરાવળમાં 3.19 ઈંચ, વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code