1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતીનો વધુ સારો ઉપયોગ થઈ શકશે: અર્જુન મોઢવાડીયા

ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપ યોજાયો ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026 – AI-based ‘Bhashini’ tool – AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે. ડિજિટલ […]

બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

ઢાકા, 12 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં 299 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુલના વિસ્તારમાં વોટિંગ દરમિયાન બીએનપી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક નેતાની હત્યા કરવામાં આવી છે. સત્તાવાર રીતે મતદાનના દિવસે થયેલી આ પ્રથમ હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી […]

સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

ખાર્તુમ, 12 ફેબ્રુઆરી 2026: ઉત્તર સુદાનમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નાઇલ નદીમાં મુસાફરોથી ભરેલી એક હોડી પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 4 લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રો અને ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, […]

મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ અને ૭મો પાટોત્સવ ઉજવાશે

પ્રતિનિધિ દ્વારા, મોડાસા, 12 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Mahadev Temple in Modasa મોડાસા શહેરના માણેકબા સોસાયટી વિસ્તારસ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવનારી શિવરાત્રી નિમિત્તે વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ના મહા વદ તેરસ, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ શિવરાત્રી મહોત્સવ સાથે મંદિરનો ૭મો પાટોત્સવ ઉજવાશે. સમગ્ર આયોજન શ્રી […]

GCCI દ્વારા સૌપ્રથમ વખત ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલનો નવતર પ્રયોગ

ભારતના ફૂડ એન્ડ બેવરેજ ઇકોસિસ્ટમ માટે એક સીમાચિહ્નરૂપ પહેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 12 ફેબ્રુઆરી, 2026 – GCCI conducts first-ever three-day food festival ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા સૌપ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ધ ગ્રેઝર ફેસ્ટ નામે આ એક એવો ફેસ્ટિવલ હશે જેમાં સ્વાદના રસિયાઓને સ્ટ્રીટ […]

CBSE ધોરણ 12 ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઓન-સ્ક્રીન માર્કિંગ લાગુ કરશે

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આ વર્ષથી ધોરણ 12 ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઓન-સ્ક્રીન માર્કિંગ લાગુ કરશે. જોકે, ધોરણ 10 ની ઉત્તરવહીઓનું ભૌતિક મૂલ્યાંકન પહેલાની જેમ કરવામાં આવશે. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે માહિતી આપી હતી કે બોર્ડે કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે આ વર્ષની પરીક્ષાથી ધોરણ 12 ની […]

સરકારે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર બજેટ ચર્ચા દરમિયાન લોકસભામાં પાયાવિહોણા નિવેદનો આપવા અને ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરશે. મીડિયા સાથે વાત કરતા રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા અને ખોટા આરોપો […]

ઔદ્યોગિક સંબંધો સંહિતા (સુધારા) બિલ, 2026 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ઔદ્યોગિક સંબંધો સંહિતા 2020 દ્વારા બદલવામાં આવેલા કેટલાક કાયદાઓને ચાલુ રાખવા અંગે ભવિષ્યમાં કોઈપણ બિનજરૂરી ગૂંચવણો ટાળવા માટે ગઈકાલે લોકસભામાં એક સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. શૂન્ય કાળ દરમિયાન કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઔદ્યોગિક સંબંધો સંહિતા (સુધારા) બિલ, 2026 રજૂ કરવામાં આવ્યું હતું. આજે વિચારણા […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સ્વામી દયાનંદ સરસ્વતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીએ સમગ્ર સમાજ અને દેશની શિક્ષણ પ્રણાલીને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશને હંમેશા તેમના દ્વારા સ્થાપિત આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓનો લાભ મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code