1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હેર ફોલથી છુટકારો મેળવવા માટે અજમાવો મેથીના આ જાદુઈ નુસ્ખા

આજની ભાગદોડભરી જિંદગી, પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવાએ એક સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે. લોકો વાળની ગ્રોથ વધારવા માટે હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જોકે, તમારા રસોડામાં રહેલા મેથીના દાણા વાળની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. મેથીના દાણામાં રહેલા કુદરતી તત્વો વાળના મૂળને મજબૂત […]

આધાર ડેટાબેઝનું રાષ્ટ્રવ્યાપી શુદ્ધિકરણ: 2.5 કરોડ મૃતકોના આધાર નંબર નિષ્ક્રિય કરાયા

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ ‘આધાર’ની સુરક્ષા અને સચોટતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અભિયાન હાથ ધર્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા અત્યાર સુધીમાં દેશના આશરે 2.5 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઓળખની ચોરી અને સરકારી યોજનાઓના લાભોનો દુરુપયોગ […]

આંખો નીચેના કાર્ડ સર્કલથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ, 7 દિવસમાં દેખાશે અસર

આજના આધુનિક યુગમાં અનિયમિત ઊંઘ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ (મોબાઈલ-લેપટોપનો વપરાશ), માનસિક તણાવ અને બગડતી જીવનશૈલીને કારણે આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ‘ડાર્ક સર્કલ’ થવા તે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ઘણીવાર નિષ્ફળ જાય છે, ત્યારે તમારા રસોડામાં રહેલી કોફી આ સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. […]

ડિનરમાં બનાવો બીટનો સ્વાદિષ્ટ પુલાવ, જાણો સરળ રેસીપી

રાત્રિના ભોજનમાં જો તમે કંઈક નવું અને પૌષ્ટિક બનાવવા ઈચ્છતા હોવ, તો બીટરૂટ પુલાવ એક ઉત્તમ વિકલ્પ છે. આ પુલાવ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. બાળકોથી લઈને મોટેરાં સુધી દરેકને આ વાનગી ખૂબ જ પસંદ આવશે. તમે આ ગરમા-ગરમ પુલાવને દાળ તડકા, દહીં અથવા રાયતા સાથે પીરસીને ડિનરને […]

કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન

અમદાવાદ/નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી, 2026 – Congress launches talent search campaign કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે પ્રખર વક્તાઓની ભરતી કરવા માટે ટેલેન્ટ હંટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં આ અંગે જાહેરાત કરતા ‘પ્રતિભા શોધ અભિયાન’ના ગુજરાત પ્રભારી હરિશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ મજબૂત રીતે રજૂ […]

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી હવામાન વિભાગની કચેરીમાં રાત્રે બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. ચોરીના આ બનાવની નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરા વિસ્તારમાં […]

જીસીસીઆઇ દ્વારા ઐતિહાસિક ભારત-યુએસ વેપાર કરારનું સ્વાગત

અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – India-US trade agreement ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી ઉચ્ચ-સ્તરીય ચર્ચાના સફળ પરિણામનું સ્વાગત કરે છે. GCCI આ કરારને એક ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે જુએ છે જેમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને દીર્ઘકાલીન […]

રાજકોટમાં મધરાત બાદ કારમાં આવેલા તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી પલાયન

રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર પાસે આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા. કાર લઈને ચોરી કરવા આવેલા શખસો એક કરોડથી વધુ કિંમતની 120 કિલો ચાંદીના ઘરેણા ચોરીને પલાયન થઈ ગયા હતા.  ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન […]

નેપાળ-ઇસ્તાંબુલ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

કોલકાતા, 04 ફેબ્રુઆરી 2026: કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ THY-727 ને ટેકનિકલ સમસ્યાને કારણે કોલકાતા વાળવામાં આવી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં ગંભીર ખામી જોવા મળી હતી. પાઇલટ્સની સતર્કતાને કારણે, વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બચી ગયા. વિમાનનું કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code