1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી: ઈન્ડિગોની એક ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટ કુવૈતથી હૈદરાબાદ જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન ફ્લાઈટને બોમ્બ હોવાની ધમકી મળી. ફ્લાઈટને ઝડપથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. અહેવાલો અનુસાર, દિલ્હી એરપોર્ટ પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મોકલવામાં આવી હતી. ઇમેઇલ મળતાં જ, એરપોર્ટ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું અને ઈન્ડિગો […]

અમદાવાદમાં વિરાટનગર બ્રિજ પાસે 18 દૂકાનોમાં લાગી આગ ભારે જહેમત બાદ કાબુમાં આવી

2 દુકાનોમાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકાનોમાં પ્રસરી, સ્થાનિક લોકોનો આક્ષેપ, BU કે ફાયર સેફ્ટી નથી, રજૂઆત છતાં AMCએ પગલાં ના લીધા, ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કર્યો અમદાવાદઃ શહેરના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્સની બે દૂકાનોમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ પ્રસરીને […]

વડોદરામાં મહિલા વર્ક ફ્રોમ હોમની લાભામણી સ્કીમમાં ફસાઈ, 31 લાખ ગુમાવવા પડ્યાં

ઠગ ટોળકીએ મહિલાએ ડિપોઝિટના સામે આકર્ષક વળતરની લાલચ આપી હતી, મહિલાને ગૂગલ મેપને રેટિંગ આપવાના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી, ઠગ ટોળકીએ 1000ના રોકાણ સામે 1300, અને 5000 સામે 6,500 રૂપિયા કમાવવાની સ્કીમ આપી હતી વડોદરાઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબો અપવાનીને લોકોને તેની ઝાળમાં ફસાવતા હોય છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની […]

મહારાષ્ટ્ર: નશામાં ધૂત ડ્રાઇવરે ફૂટપાથ પર બસ ચડાવી, 2 લોકોના મૃત્યું અને 4 ઘાયલ

નવી દિલ્હી: એક બસ અચાનક કાબુ ગુમાવી અને ફૂટપાથ સાથે અથડાઈ. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો. ફૂટપાથ પર ચાલતા બે લોકો બસની અડફેટે આવી ગયા અને તેમના ઘટનાસ્થળે જ મોત થયા. અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી. આ ઘટના મહારાષ્ટ્રના પુણેના પિંપરી-ચિંચવડ જિલ્લામાં શિવાજી ચોક પાસે બની હતી. બસ ચાલક નશામાં હતો, […]

જયશંકરે વિકાસશીલ દેશોને જૈવિક શસ્ત્રો સામે રક્ષણ માટે એક થવા હાકલ કરી

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે ઝડપથી બદલાતા વિજ્ઞાન અને ટેકનોલોજી અને વૈશ્વિક અનિશ્ચિતતાના યુગમાં જૈવિક જોખમોનો સામનો કરવા માટે આધુનિક, મજબૂત અને સમાવિષ્ટ વૈશ્વિક માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અહીં ‘ગ્લોબલ સાઉથ માટે જૈવ સુરક્ષા મજબૂતીકરણ’ પરિષદને સંબોધતા જયશંકરે કહ્યું, “જૈવિક ખતરો કુદરતી હોય, આકસ્મિક હોય કે ઇરાદાપૂર્વકનો હોય, તે કોઈ સરહદોનો આદર […]

ગુજરાતને સતત વાંચતું રાખવા કોઈ પુસ્તકની “પરબ” માંડે છે તો કોઈ “અભિયાન” ચલાવે છે

(અલકેશ પટેલ) અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: The book lovers of Gujarat ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવે છે તેથી અહીં સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય કેટલાંક રાજ્યો જેટલી થતી નથી એવી સર્વસામાન્ય છાપ હંમેશાં રહી છે. તેમાં તથ્ય પણ છે. ગુજરાતી સાહિત્યકારો સર્જન તો કરે છે પરંતુ પછી તેમનાં સર્જનને પ્રજા સુધી લઈ જઈને, પ્રજાને તેમાં ઈન્વોલ્વ રાખવાની […]

જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિની રૂપિયા 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ

CBI, IT અને EDની બાદ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કાર્યવાહી કરી, બ્રાસના ઉદ્યોગપતિએ આર્થિક ફાયદા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી, આરોપી GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા જામનગરઃ રાજ્યમાં સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કરચોરી સામે આકરી કાર્યવાહી કરી છે. […]

GST ઘટ્યો છતાં ટેક્સ ગેરરીતિ અટકતી નથી, ગુજરાતમાં એક મહિનામાં 32.40 કરોડની ચોરી પકડાઈ

ગુજરાતમાં ગત નવેમ્બર મહિનામાં જીએસટી કલેકશન 6723 કરોડ થયુ, ગત વર્ષનાં નવેમ્બર કરતા એક ટકો જીએસટીની આવક વધી, રાજ્યના કર વિભાગને GST- વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા. 10,469 કરોડની આવક થઈ અમદાવાદઃ દિવાળી પહેલા કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય જીએસટીની ટેક્સચોરીમાં ઘટાડો થયો નથી. સરકારને નવેમ્બરમાં જીએસટીની ટેકસ […]

સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને 180 દિવસમાં ડિગ્રી સર્ટી આપવા UGCનો આદેશ

180 દિવસમાં ડિગ્રી નહીં મળે તો યુનિવર્સિટીની અટકાવાશે ગ્રાન્ટ, યુનિવર્સિટીઓ સમયસર પરીક્ષા લેતી નથી અને પરિણામો વિલંબથી જાહેર કરાય છે, એકેડેમિક કેલેન્ડર અનુસાર શૈક્ષણિક કાર્ય કરવા યુજીસીએ તાકીદ કરી અમદાવાદઃ દેશની ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં ખાસ કરીને સરકારી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ મોડી યોજીને તેના પરિણામો પણ વિલંબથી […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરો દર્દીઓને રાતે ઊંઘવા દેતા નથી

ઉંદરોના આતંકથી દર્દીઓથી માંડી સ્ટાફ ત્રાહિમામ દર્દીઓના સગાઓ દ્વારા વોર્ડ આસપાસ ફેંકવામાં આવતા એઠવાડને લીધે ઉંદરોમાં વધારો, ઉંદરોનો ત્રાસ દૂર કરવા હોસ્પિટલના સત્તાધિશો સમક્ષ દર્દીઓએ કરી માગ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ એટલે બધો વધી રહ્યો છે. કે, ઉંદરો રાતના સમયે દર્દીઓને ઊંઘવા દેતા નથી. દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code