1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અયોધ્યામાં 26 લાખ દીવા સાથે નવો વિશ્વ રેકોર્ડ બનશે, સરયુ કિનારે ભવ્ય દીપોત્સવની તૈયારીઓ

અયોધ્યા : રામનગરી અયોધ્યામાં આ વર્ષની દીપોત્સવ ઉજવણી વિશ્વ રેકોર્ડ તોડવા તૈયાર છે. પર્યટન વિભાગ દ્વારા સરયુ કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટો પર લાખો દીયા પ્રગટાવી અદભૂત દૃશ્ય સર્જવામાં આવશે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે, 2017થી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવાય છે અને આ પરંપરા જાળવતા આ વર્ષે પણ […]

કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

કુલગામ : દક્ષિણ કાશ્મીરના કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં 12 કલાકથી વધુ ચાલી અથડામણમાં  બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. તેમાં એક શોપિયાનના દરમડોરાનો આમિર અહમદ ડાર છે, જેનું નામ પહલગામ હુમલા બાદ તૈયાર કરાયેલી 14 સ્થાનિક આતંકીઓની યાદીમાં સામેલ હતું. પોલીસ અધિકારી મુજબ, આમિર ‘સી કેટેગરી’નો આતંકી હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. તે […]

સોનાના ભાવમાં ઈતિહાસિક ઉછાળો : 10 ગ્રામ દીઠ રૂ. 1,10,047 પર પહોંચ્યો

અમદાવાદ : મંગળવારે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. સ્થાનિક વાયદા બજારમાં સોનું રૂ. 458ના ઉછાળા સાથે પહેલીવાર 10 ગ્રામ દીઠ રૂ 1,10,047ના ઈતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને અમેરિકન ડૉલરની નબળાઈને કારણે નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો વાયદા ભાવ રૂ. 458 (0.41%) વધીને […]

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું : 9 મંત્રીઓએ આપ્યા રાજીનામાં

કાઠમંડુ : નેપાળમાં રાજકીય સંકટ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની સરકારે મોટો ઝટકો સહન કર્યો છે, કારણ કે 9 મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલયના મંત્રીઓ સામેલ છે. મંત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, સરકાર દ્વારા નીતિઓમાં પારદર્શિતા ન […]

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં PM મોદી અને રાહુલ ગાંધી સહિતના સાંસદોએ કર્યું મતદાન

નવી દિલ્હી : આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષની તરફથી ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે. ચૂંટણીને લઈ રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક આવ્યો છે, કારણ કે બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિરોમણી અકાલી […]

નેપાળના વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચ-સ્તરિય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ ખાત્રી આપી

નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહારી સહિત અનેક મોટા શહેરોમાં કર્ફ્યુ લાદ્યો હતો. નેપાળના […]

GST : રોજિંદા ખાદ્ય પદાર્થો કરમુક્ત, પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5% કર

નવી દિલ્હીઃ GST કાઉન્સિલે નેક્સ્ટ જનરેશન GST સુધારા હેઠળ ગ્રાહકો, નાના વેપારીઓ અને ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત, હવે કઠોળ, લોટ અને ચોખા જેવી આવશ્યક ખાદ્ય ચીજો સંપૂર્ણપણે કરમુક્ત રહેશે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5 ટકા GST લાગશે. આ નિર્ણયથી સામાન્ય લોકોના ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થશે અને નાના વેપારીઓ […]

નેપાળમાં વિરોધ વચ્ચે પીએમ ઓલીએ કહ્યું કે, કાયદાનો અનાદર સ્વીકારી ના શકાય

નવી દિલ્હીઃ નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ બાદ સોમવારે હજારો જનરેશન જી (18 થી 30 વર્ષ) યુવાનો રાજધાની કાઠમંડુની શેરીઓમાં ઉતર્યા હતા. પ્રતિબંધના વિરોધમાં, યુવાનોએ નવા બાનેશ્વર સ્થિત સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. વિરોધીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડવાનો અને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પાણીના […]

જો રૂટે સચિન તેંડુલકરનો ODI માં મહાન રેકોર્ડ તોડ્યો, દક્ષિણ આફ્રિકા સામે ઇતિહાસ રચ્યો

રવિવારે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા જો રૂટે ઈતિહાસ રચ્યો અને પછી ઈંગ્લેન્ડની ટીમે પણ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પહેલા આપણે જો રૂટ વિશે વાત કરીશું, અને પછી ઈંગ્લેન્ડના રેકોર્ડ વિશે પણ માહિતી આપીશું. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જો રૂટે 96 બોલમાં 100 રન બનાવ્યા. […]

પિતૃ પક્ષ: ભક્તો પૂર્વજોની આત્માની શાંતિ, મુક્તિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે શ્રાદ્ધ વિધિ કરે છે

હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતો માનવામાં આવે છે. આ સમય શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક વિધિઓ માટે ખાસ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તર્પણ અને પિંડદાનથી તેમના વંશજો પાસેથી સંતોષ મેળવે છે. આ પ્રસંગે ભક્તો પૂર્વજોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code