1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાઓને અસર, જનજીવન ખોરવાયું

મુંબઈઃ મુંબઈમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન તેમજ હવાઈ સેવાઓ પર અસર પડી છે. દરમિયાન, દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયું છે અને ટ્રાફિક જામની […]

શુભાંશુ શુક્લાની સિદ્ધિઓ ઉપર ભારતને ગર્વઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યા હતા. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી સફળ વાપસી બાદ થઈ હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શુક્લાને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અવકાશ અનુભવ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને મહત્વાકાંક્ષી ‘ગગનયાન’ મિશન વિશે ચર્ચા કરી હતી. […]

વર્તમાન પરિસ્થિતિમાં, વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખવી જરૂરી: એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોમાં કોઈપણ સકારાત્મક પ્રગતિનો આધાર સરહદ પર શાંતિ અને સ્થિરતા છે. તેમણે ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને આગળ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયશંકરે નવી દિલ્હીમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન આ વાત […]

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે. સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને “બીજી પેઢીના સ્વતંત્રતા […]

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી પ્રધાનમંત્રીને મળ્યા

નવી દિલ્હીઃ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યા. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવી. તેમની લાંબા વર્ષોની જાહેર સેવા અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ આપણા રાષ્ટ્રને ખૂબ સમૃદ્ધ બનાવશે. તેઓ હંમેશા જે સમર્પણ […]

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ સુત્રોચ્ચાર કરતા સભ્યોને સરકારી સંપત્તિને નુકશાન ન પહોંચાડવાની ચેતવણી આપી

નવી દિલ્હી: બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સહિત કેટલાક મુદ્દાઓ પર સોમવારે લોકસભામાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે, કાર્યવાહી શરૂ થયાના લગભગ 15 મિનિટ પછી સ્થગિત કરવામાં આવી અને સ્પીકર ઓમ બિરલાએ સૂત્રોચ્ચાર કરતા સભ્યોને સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડવાની ચેતવણી આપી હતી. જ્યારે ગૃહની બેઠક શરૂ થઈ, ત્યારે લોકસભા સ્પીકર […]

રશિયન ઔદ્યોગિક પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ થયો પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના મોત

મોસ્કોઃ રશિયાના રિયાઝાન ક્ષેત્રમાં એક ઔદ્યોગિક પ્લાન્ટમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા અને 134 અન્ય ઘાયલ થયા હતા. મોસ્કોથી લગભગ 250 કિમી દક્ષિણપૂર્વમાં શિલોવ્સ્કી જિલ્લામાં સ્થિત ઇલાસ્ટીક પ્લાન્ટમાં આગ લાગી હતી. રશિયન કટોકટી મંત્રાલયે જણાવ્યું કે કટોકટી ટીમોએ સપ્તાહના અંતે કાટમાળ શોધવાનું ચાલુ રાખ્યું અને રાત્રે બે વધારાના મૃતદેહ મળી આવ્યા હતા. […]

‘મત ચોરી’ અને SIR પર વિવાદ વચ્ચે  વિપક્ષની EC વડા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી

નવી દિલ્હીઃ મત ચોરીના વિપક્ષના આરોપો બાદ, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો જવાબ આપ્યો હતો. હવે આ મામલે રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. રવિવારે, જ્યારે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષને કઠેડામાં ઉભો કર્યો હતો, ત્યારે આજે વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા વિપક્ષી […]

ઝેલેન્સ્કી ઈચ્છે તો યુદ્ધ હમણાં જ સમાપ્ત થઈ શકે છેઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી ઈચ્છે તો રશિયા સાથેનું યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેન દ્વારા 2014 માં રશિયન ફેડરેશનમાં જોડાયેલા ક્રિમીઆને પાછું મેળવવાની અથવા યુક્રેન નાટોમાં જોડાવાની શક્યતાને પણ નકારી કાઢી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ ટિપ્પણીઓ મહત્વપૂર્ણ છે કારણ કે ઝેલેન્સ્કી વ્હાઇટ […]

સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે બિનહરીફ બનાવવા માટે રાજનાથસિંહે શરૂ કરી કવાત, ખડગે પાસેથી ટેકો માંગ્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સર્વસંમતિ બનાવવા માટે તૈયારીઓ તેજ કરી છે. દરમિયાન રાજનાથ સિંહે રવિવારે રાત્રે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ફોન કર્યો અને એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન માટે સમર્થન પણ માંગ્યું હતું. એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code