1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગુજરાતઃ ભારે વરસાદને પગલે NDRF અને SDRF ની 32 ટીમો ડિપ્લોય કરાઈ

અમદાવાદઃ  રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓના પાણી કાંઠા ઓળંગીને ગામડાંઓ તરફ વહી રહ્યાં છે. દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ દ્વારા આજે જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ સાથે જયંતી રવિ અને રાહત કમિશનર પણ […]

લાલ કિલ્લાના સંકુલમાંથી એક કરોડની કિંમતના સોનાના કળશની ચોરી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ  રાષ્ટ્રીય રાજધાનીના ઐતિહાસિક લાલ કિલ્લાના સંકુલમાંથી લગભગ એક કરોડ રૂપિયાનો સોનાનો કળશ ચોરી થવાના બનાવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ કળશ જૈન ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન ગુમ થયો હતો, જેના કારણે કાર્યક્રમ સ્થળે ખળભળાટ મચી ગયો હતો. માહિતી મુજબ, ચોરી થયેલો કળશ આશરે ૭૬૦ ગ્રામ શુદ્ધ સોનાનો હતો અને તેમાં […]

અલ્હાબાદ હાઇકોર્ટમાં બે નવા ન્યાયાધીશોની નિમણૂંક

નવી દિલ્હી : ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ, રાષ્ટ્રપતિએ ન્યાયમૂર્તિ અમિતાભ કુમાર રાય અને ન્યાયમૂર્તિ રાજીવ લોચન શુક્લાને અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. આ બંને ન્યાયાધીશો તેમની નિમણૂંકની તારીખથી તેમના સંબંધિત હોદ્દાનો કાર્યભાર સંભાળશે. સરકાર દ્વારા જારી કરાયેલા આ અધિકારીક આદેશ સાથે […]

નવરાત્રિના પહેલા દિવસે મોટી રાહત મળશે : 375 વસ્તુઓ પર GST દરમાં ઘટાડો થશે

નવી દિલ્હી : નવરાત્રિના આરંભ સાથે જ ગ્રાહકો માટે આર્થિક લાભ મળશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે 22 સપ્ટેમ્બરથી 375 જેટલી વસ્તુઓ પર GST દરમાં ઘટાડો અમલમાં આવશે. કંપનીઓએ આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે, એવો કડક સંદેશ પણ તેમણે આપ્યો છે. નાણાંપ્રધાનના જણાવ્યા અનુસાર, GST સુધારા વડા પ્રધાન નરેન્દ્ર […]

દિલ્હીમાં 15 વર્ષના વિદ્યાર્થી પર સગીરોએ છરીથી કર્યો હુમલો, ત્રણ આરોપી ઝડપાયા

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ 4 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય તકરારમાં વિદ્યાર્થીની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે દિલ્હીમાં આવી […]

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડારમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 29 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3 અબજ 51 કરોડ ડોલર વધીને 694 અબજ 20 કરોડ ડોલરથી વધુ થયો છે.રિઝર્વ બેંકના સાપ્તાહિક આંકડાકીય પ્રકાશન મુજબ, વિદેશી હૂંડિયામણ ભારતના ભંડારનો મુખ્ય ઘટક છે, જે લગભગ એક અબજ 69 કરોડ ડોલર વધીને 583 અબજ 90 કરોડ ડોલરથી વધુ થયો છે. સોનાનો […]

ઉત્તરભારતઃ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે

નવી દિલ્હીઃ સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે.રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં માય ભારત મુખ્યાલય ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપી હતી. તેમણે માય એટલે કે મેરા યુવા ભારત સ્વયંસેવકો અને જિલ્લા યુવા અધિકારીઓને અસરગ્રસ્ત […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) ના સંયુક્ત સચિવ કર્નલ કીર્તિ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની […]

T20 સીરિઝ : રોમાંચક મુકાબલામાં અંતિમ બોલ પર અફઘાનિસ્તાનએ UAEને હરાવ્યું

ત્રિકોણીય T20 સીરિઝમાં અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલો છેલ્લો લીગ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. અફઘાનિસ્તાને છેલ્લા બોલ પર યુએઈને 4 રનથી હરાવી દીધું. યુએઈને છેલ્લી ઓવરમાં જીત માટે 17 રનની જરૂર હતી. ફરીદ અહમદની ઓવરના પહેલા બોલ પર આસિફ ખાને ચોગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર છગ્ગો આવી ગયો. છેલ્લા 4 બોલ પર 7 રન […]

GST સુધારાથી સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચને મળશે પ્રોત્સાહન

નવી દિલ્હીઃ GSTમાં કરાયેલા સુધારાનો એક મોટો સકારાત્મક પ્રભાવ ભારતીય સેના પર પણ થવાનો છે. આ વિષય પર માહિતી આપતાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચમાં આથી ઘણો લાભ થશે. પહેલાની સરખામણીએ વધુ સંશોધન કાર્ય થઈ શકશે, તેમજ સેનાના નવા સાધનો પણ ખરીદી શકાશે. સૌથી મોટી વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code