કફ સિરપને લઈને કેન્દ્રની સરાકર એક્શન મોડમાં – આ મામલે 143 ફાર્માસ્યુટિકલ કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી
દિલ્હીઃ- ભારકત સ્થિતિ કંપનીો દ્રારા અનેક દવાઓ અને કફ સિરપ બનાવવામાં આવે છે ભૂતકાળમાં ઉત્તરપ્રદેશ સ્થિતિ કફ સિરપની કંપની પર બાળકોના મોતનો આરોપ લાગ્યો હતો ત્યારે ફરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની એક દવા કંપની વિરુદ્ધ ગઈકાલે ચેતવણ રજૂ કરી હતી આ તમામ સ્થિતિને જોતા હવે કેન્દ્રની સરકાર પણ એક્શન મોડમાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે સરકાર કફ સિરપ બનાવતી કંપનીઓ પર તવાઈ બોલાવી રહી છે.
તેમણે આંકડાકિય માહિતી શેર કરતા કહ્સેયું કે ન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીઝ સાથે મળીને 162 ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું આ તપાસ બાદ 143 કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
સ્વાસ્થઅયમંત્રીએ વધુમાં કહ્યું કે કેટલાક 40 જેટલા આ મામલાના કેસોમાં ઉત્પાદન બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. 66 કેસોમાં ઉત્પાદન રદ/સસ્પેન્શન અને 21 કેસમાં ચેતવણી પત્ર જારી કરવામાં આવ્યો છે. એક કેસમાં ફરીયાદ પણ નોંધવામાં આવી હતી અને ડ્રગ્સ રૂલ્સ, 1945ની જોગવાઈ હેઠળ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરાઈસ ચૂકી છે.