રશિયા દ્વારા ભીષણ ગોળીબાર વચ્ચે સૂમીમાંથી 700થી વધુ વિદ્યાર્થીઓને બહાક કાઢવા કેન્દ્રનો અથાગ પ્રયત્ન
- ઓપરેશનગંગા હેઠળ સૂમીમાંથી વિદ્યાર્થીને બહાક કાઢવાના પ્રયાસ ચાલુ
- રશિયા દ્વારા સતત ગોળી બાર વચ્ચે કાર્ય મુશ્કેલ બન્યું
દિલ્હીઃ- ઓપરેશન ગંગા હેછળ ભારત સરકાર યુક્રેનમાં યુદ્ધની લસ્થિતિ વચ્ચે પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવી રહી છે ત્યારે વિતેલા દિવસને રવિવારે યુક્રેનના ઉત્તરપૂર્વીય શહેર સુમીમાંથી 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા, જોકે રશિયા દ્વારા ઉગ્ર ગોળીબાર અને હવાઈ હુમલા ચાલુ રહેતાં સફળતા મળી નહતી
આ મામલાને લઈને યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે સુમીમાં પોલ્ટાવા થઈને પશ્ચિમી સરહદો સુધી ભારતીય વિદ્યાર્થીઓના સલામત માર્ગનું સંકલન કરવા માટે પોલ્ટાવા શહેરમાં મિશનની એક ટીમ તૈનાત કરવામાં આવી છે અને ભારતીય વિદ્યાર્થીઓને જાણ કર્યા પછી તરત જ જવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
આ સાથે જ હંગેરીમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારત પોતાના નાગરિકોને બહાર કાઢવાના મિશનના અંતિમ તબક્કામાં છે અને વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવા માટે બુડાપેસ્ટ પહોંચવાનું સૂચન કર્યું થે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુક્રેન સામે રશિયાના સૈન્ય હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ શરૂ કરાયેલ મિશન ઓપરેશન ગંગા હેઠળ ભારતે 76 ફ્લાઇટમાં તેના 15,920 નાગરિકોને પરત લાવ્યાં છે.
સૂમીમાં ફસાયેલા ભારતીયો સાથે પરિચિત લોકોએ જણાવ્યું હતું કે માનવતાવાદી કોરિડોર બનાવવા અથવા તેમને બહાર કાઢવા માટે યુદ્ધવિરામ લાદવા માટે રશિયન અને યુક્રેનિયન પક્ષો તરફથી હજી સુધી કોઈ સંકેત મળી રહ્યા નથી.
જો કે મિશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ભારત સૂમી સ્ટેટ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે હાંકી કાઢવાના પ્રયાસો તેજ કરી રહ્યું છે. ભારત રશિયન અને યુક્રેનિયન બંને સત્તાવાળાઓને વિદ્યાર્થીઓ માટે રોમાનિયા, હંગેરી અથવા પોલેન્ડમાંથી રશિયન સરહદ અથવા પશ્ચિમ યુક્રેનમાં જવા માટે સલામત માર્ગ બનાવવા વિનંતી કરી રહ્યું છે. વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સતત પ્રયત્નો હાલ ચાલું જ છે.