Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોંપાયો

Social Share

અમદાવાદઃ ગજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાયા બાદ આજે મોડી સાંજે કેબીનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યકક્ષાના ગૃહ વિભાગનો હવાલો કોઈને સોંપવામાં આવ્યો નથી. એટલે ગૃહ વિભાગમાં હર્ષ સંઘવી સર્વેસર્વા રહેશે, ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ અને પાનસેરિયાને આરોગ્ય વિભાગનો હવાલો સોંપાયો છે. જ્યારે અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.

.મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી

કેબિનેટ મંત્રી

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

રાજ્ય કક્ષાના મંત્રી

Exit mobile version