1. Home
  2. ગુજરાતી
  3. સીએમ માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા,આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી
સીએમ માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા,આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી

સીએમ માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા,આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી

0
Social Share

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.સીએમ માનએ જણાવ્યું હતું કે,બેઠક દરમિયાન પેડિંગ આર.ડી.એફ. બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

સીએમ અમિત શાહે આગળ સરહદ પર ખેડૂતો દ્વારા ખેતીના મુદ્દા પર વાત કરી.તેમણે સરહદ પર કાંટાળી તારનું અંતર ઘટાડવાની માંગ કરી હતી.જ્યારે ખેડૂતો બોર્ડર પર ખેતી કરવા જાય છે ત્યારે તેમના આઈ.ડી. કાર્ડ બતાવવાના રહેશે પછી B.S.F. ની સાથે તેમને ખેતરોમાં જવું પડે છે, આ બાબતમાં ઘણો સમય વેડફાય છે.બોર્ડર પરનું ખેતર 200 મીટરની ત્રિજ્યામાં હોવું જોઈએ,જેથી કરીને કોઈપણ ખેડૂતને કોઈ મુશ્કેલી ન પડે.

સીએમ માનએ કહ્યું કે,અમિત શાહે આ મામલાને ટૂંક સમયમાં ઉકેલી લેવાનું આશ્વાસન આપ્યું છે.તેમણે કહ્યું કે આ કામ હાલમાં ભટિંડામાં ચાલી રહ્યું છે, જો સફળ થશે તો તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.આ દરમિયાન પોલીસને હાઈટેક બનાવવાની પણ ચર્ચા થઈ હતી.

 

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code