Site icon Revoi.in

બાંગ્લાદેશમાં પાકિસ્તાની ISI ની હાલચાલથી ચિંતા, યુનુસ સરકારના પગલાંઓ પર દેશવ્યાપી આક્રોશ

Social Share

પાકિસ્તાનની ઇન્ટરસર્વિસીઝ ઇન્ટેલિજન્સ (ISI) બાંગ્લાદેશમાં કોઈ ખતરનાક કાવતરુ રચી રહ્યું છે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં આઈએસઆઈની ટીમોએ તાજેતરમાં ગોપનીય તપાસ અને મુલાકાતો કરી હોવાની માહિતી સામે આવી છે. આ દરમ્યાન આઈએસઆઈના અધિકારીઓએ બાંગ્લાદેશની સેનાના ઉચ્ચ અધિકારીઓ, સરકારી પ્રતિનિધિઓ અને વિવિધ રણનીતિક સંસ્થાઓ સાથે ભેટ-મુલાકાતો પણ કરી છે.

અહેવાલો મુજબ, બાંગ્લાદેશની જાસૂસી સંસ્થાના અધિકારીઓએ પાકિસ્તાની વરિષ્ઠ અધિકારીઓને હેલિકોપ્ટર મારફતે સરહદી સુરક્ષા વ્યવસ્થાનો પણ વકીલાતપૂર્વક પરિચય કરાવ્યો હતો. આ સમગ્ર પ્રવૃત્તિઓને લીધે દેશમાં સવાલો ઉઠવા લાગ્યા છે.

દેશમાં Gen-Z ના યુવાનો, વિદ્યાર્થીસમાજ અને નાગરિકો બેકારી, મોંઘવારી અને વ્યાપક ભ્રષ્ટાચાર સામે સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. અનેક વિસ્તારોમાં હિંસક અથડામણો પણ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાની જાસૂસી અધિકારીઓને બાંગ્લાદેશના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવેશ અપાતા ભારતે પણ આ ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.

બાંગ્લાદેશના જાણીતા પત્રકાર સલાહુદ્દીન ચૌધરીએ આ મુદ્દે ટીકા કરતાં પૂછ્યું કે, “વિદેશી જાસૂસી અધિકારીઓને દેશના હાઈ-સિક્યોરિટી ઝોનમાં શા માટે લઈ જવામાં આવે છે? આ તો દેશની નબળાઈને જ ઉજાગર કરે છે.” આ ટીમ 14 નવેમ્બરથી બાંગ્લાદેશમાં છે અને 25 નવેમ્બર સુધી રોકાવાની છે.

કેટલાક રાજકીય વિશ્લેષકોના મત મુજબ, જ્યારે ભારતે પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવી બાંગ્લાદેશ રચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, ત્યારે આજના સમયમાં ભારતવિરુદ્ધ વલણ અપનાવતા મોહમ્મદ યુનુસ જેવા નેતા ‘કૃતઘ્નતા’ના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમે બાંગ્લાદેશની આંતરિક રાજકીય પરિસ્થિતિને વધુ ઉથલ-પાથલ બનાવી છે અને યુનુસ સરકારની નીતિઓ પર વ્યાપક પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે.

Exit mobile version