1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાની વિચારણા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાની વિચારણા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાની વિચારણા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલોમાં પ્રાથમિક ધોરણના વર્ગો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-1થી 4ની એકમ કસોટીના આધારે પરિણામ આપવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાનું સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલમાં વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં છે. હાલ ધો-9થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓલનઆઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તા. 10મી મેથી ધો-10 અને બોર્ડની પરીક્ષાઓ લેવાશે. સરકારે માસ પ્રમોશન આપવાનો ઈન્કાર કરીને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ધોરણ 1 થી 4માં એકમ કસોટી આધારે પરિણામની વિચારણા ચાલી રહી છે. આવી જ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 5થી 8 ધોરણની પરીક્ષા લેવાની વિચારણા કરી રહ્યું છે. રાજ્ય સરકાર શિક્ષણનું નવુ સત્ર વહેલુ શરુ કરવાની વિચારણા કરી રહી છે. આ વર્ષે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન પણ ટુંકુ રાખવામાં આવે તેવી શકયતા છે. સરકાર દ્વારા સ્કૂલ અને કોલેજ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વિચારણા કરી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code