1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી
ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી

ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી

0
Social Share

અમદાવાદઃ હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. એટલું જ નહીં લેપટોપ અને કોમ્પ્યુટરનો વપરાશ પણ વધ્યો છે. બીજી તરફ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ઈ-વેસ્ટ પેદા થાય છે. મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે છે. ઈ-વેસ્ટથી પ્રદૂષણનો સતત વધારો ચિંતાનો વિષય છે. સમગ્ર દેશમાં ઈ-વેસ્ટના મામલે ગુજરાતનો ટોપટેન રાજ્યોમાં સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષમાં 24.94 લાખ ટન ઈ-વેસ્ટ સામે આવ્યો છે. જેમાંથી માત્ર 4.57 લાખ ટન ઈ-વેસ્ટનો જ યોગ્ય રીતે નીકાલ કે રીસાયકલ થઇ શક્યો છે. જ્યારે બાકીનો 80 ટકા ઈ-વેસ્ટ પૃથ્વી પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો કરે છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર2017-18માં 1298.561 ટન, 2018-19માં 3106.31 ટન, 2019-10માં 14185.54 ટન અને 2020-21માં 1094.63 ટનનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

ઈ વેસ્ટના નિકાલ માટે કાર્યરત્ એક સંસ્થાના અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર દેશમાં હાલ દર વર્ષે 21 લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ થાય છે, આ પ્રમાણ 10 વર્ષ અગાઉ માંડ 1 ટનની આસપાસ હતું. અમદાવાદમાંથી જ હાલ દર મહિને સરેરાશ 3 ટન ડોમેસ્ટિક ઈ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 38 મેટ્રિક ટન ઇ-વેસ્ટ એકત્ર કરવામાં આવે છે જેમાંથી માત્ર 18 ટકા યોગ્ય રીતે રીસાયકલ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code