1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના,એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીના પરીક્ષણમાં થઇ પુષ્ટિ
બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના,એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીના પરીક્ષણમાં થઇ પુષ્ટિ

બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના,એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીના પરીક્ષણમાં થઇ પુષ્ટિ

0
Social Share
  • બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના
  • પરીક્ષણ બાદ સંક્રમણની થઇ પુષ્ટિ
  • યુકેના ચીફ વેટરનરી ઓફિસરે કરી પુષ્ટિ

દિલ્હી :બ્રિટનમાં એક પાલતુ શ્વાનમાં COVID-19 ના લક્ષણો મળી આવ્યા છે. યુકેના ચીફ વેટરનરી ઓફિસરે બુધવારે એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરના રોજ વેબ્રિજમાં એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સી લેબોરેટરીમાં પરીક્ષણ બાદ પાલતુ શ્વાનમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ શ્વાન હવે ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે. નિવેદન મુજબ, તમામ ઉપલબ્ધ પુરાવા સૂચવે છે કે, શ્વાનને તેના માલિક પાસેથી જ કોરોનાનો ચેપ લાગ્યો હતો, જે અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, એવા કોઈ પુરાવા નથી કે પ્રાણીઓએ તેમના માલિકો પાસેથી વાયરસ સંક્રમિત કર્યો હોય અથવા પાળતુ પ્રાણી અથવા અન્ય ઘરેલું પ્રાણીઓ લોકોમાં વાયરસ ફેલાવવામાં સક્ષમ હોય.

એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીના પરીક્ષણોએ પુષ્ટિ કરી છે કે,યુકેમાં એક પાલતુ શ્વાનમાં COVID-19 માટે જવાબદાર વાયરસ મળી આવ્યો છે. મુખ્ય પશુચિકિત્સા અધિકારી ક્રિસ્ટીન મિડલમિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,સંક્રમિત શ્વાન અન્ય અસંબંધિત સ્થિતિ માટે સારવાર હેઠળ હતો અને હવે તે સ્વસ્થ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે શ્વાનને ચેપ લાગવો તે ખૂબ જ દુર્લભ છે અને તેઓ સામાન્ય રીતે માત્ર હળવા ક્લિનિકલ લક્ષણો દર્શાવે છે અને થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે.

તેમણે આગળ કહ્યું હતું કે,અમે આ સ્થિતિનું બારીકીથી નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું અને જ્યારે સ્થિતિ બદલાશે ત્યારે પાલતુ પ્રાણીઓના માલિકોને અમારા માર્ગદર્શન અપડેટ કરીશું. યુકેએચએસએના કન્સલ્ટન્ટ મેડિકલ એપિડેમિયોલોજિસ્ટ ડૉ. કેથરિન રસેલના જણાવ્યા અનુસાર, કોવિડ-19 મુખ્યત્વે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં વાયરસ લોકોમાંથી પ્રાણીઓમાં ફેલાઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code