અમદાવાદમાં હવે રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે, ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ
અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને નાગરિકો હવે રાત્રે માત્ર બે કલાક જ એટલે કે રાત્રે 8વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. ઉપરાંત આતશબાજી કરવા સામે અને ચાઈનિઝ તુક્કલ ઉડાડવા સામે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલ અને આતશબાજ બલુનના વેચાણ તથા ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેર કરાયેલા જાહેરનામાં મુજબ ઓછા એમિશન ઉત્પન્ન કરતા જ ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે, ભારે ઘોંઘાટ વાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી હવાનું પ્રદૂષણ તથા ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર પણ પ્રતિબંધ છે. શહેરમાં લાયસન્સ હોય તે જ વેપારીઓ ફટાકડાનું વેચાણ કરી શકશે, ઇ કોમર્સ વેબસાઈટને ઓનલાઈન ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે.
આ ઉપરાંત શહેરમાં દિવાળીમાં રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, PESO દ્વારા અધિકૃત ફટાકડાના દરેક બોક્સ પર PESOની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે, હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થા, ન્યાયલ્યો,ધાર્મિક સ્થળોની 100 મીટર ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહી, કોઈ પણ વિદેશી ફટાકડાનું આયાત. કે વેચાણ કરી શકાશે નહી, ચાઇનીઝ તુક્કલ અને આતશબાજ બલૂનના વેચાણ તથા ઉડાવવા પર પ્રતિબંધ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.