અમદાવાદના પીરાણા દરગાહમાં કબરો તૂટતા લોકોના ટોળાં ભેગા થયા, પોલીસ અધિકારીઓ દોડી ગયા
અમદાવાદઃ શહેર નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં રાતના સમયે કેટલીક કબરોને તોડી પાડવાનો બનાવ બનતા અને સવારે આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી સહિત પોલીસના અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસે ગ્રામજનોને આ બાબતે સમજાવી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે એ અંગે ખાતરી આપતા લોકોના ટોળાં વિખેરાઈ ગયા હતા. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ શહેર નજીક આવેલા પીરાણા ગામમાં ઈમામ શાહ બાવાની દરગાહ આવેલી છે. રાતના સમયે કેટલીક કબરો તોડી પાડવાનો બનાવ બન્યો હતો. દરમિયાન સવારે પીરાણાના ગ્રામજનોને આ બનાવની જાણ થતાં દરગાહમાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. દરમિયાન અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા અને SOG, LCB સહિતનો પોલીસકાફલો પણ તાત્કાલિક પીરાણા ખાતે દોડી ગયો હતો. આ કબરો તોડવા મામલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગ્રામજનોને આ બાબતે સમજાવી અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે એ અંગે ખાતરી આપી હતી.
સૂત્રોના કહેવા મુજબ, પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહ આવેલી છે. એનાં ટ્રસ્ટ અને દરગાહને લઈને ભૂતકાળમાં પણ અનેક વિવાદ થયા હતા ત્યારે બુધવારે સવારે પીરાણાના ગ્રામજનો અને ટ્રસ્ટીઓને દરગાહમાં આવેલી કેટલીક કબરોને તોડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો અને ગ્રામજનોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ SOG, LCB અને જિલ્લા પોલીસવાળા પીરાણા ખાતે પહોંચી ગયા હતા. ઇમામશાહ બાવાની દરગાહમાં જે કબરો તોડવામાં આવી છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. એસપીએ ગ્રામજનોને એવી ખાતરી આપી હતી કે, આ ઘટનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહિ. અમે હાલ ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.