1. Home
  2. ગુજરાતી
  3. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડના ત્રણ પુલનું ઉદ્ઘાટન કરશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડના ત્રણ પુલનું ઉદ્ઘાટન કરશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ઉત્તરાખંડના ત્રણ પુલનું ઉદ્ઘાટન કરશે

0
Social Share

દહેરાદુન:રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સવારે 9:45 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી સીમા સડક સંગઠન તરફથી નિર્મિત 75 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જનતા માટે સમર્પિત કરશે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં BRO 66 RCC હેઠળ સિમલી ગ્વાલદમ રોડ પર બાંધવામાં આવેલા ત્રણ પુલનો પણ સમાવેશ થાય છે.

BRO 66 RCC ગૌચરના કમાન્ડિંગ ઓફિસર મેજર શિવમ અવસ્થીએ જણાવ્યું હતું કે,રક્ષા મંત્રી સિમલી-ગ્વાલડમ રાજમાર્ગ પર કુલસારી પાસે બનેલો 50 મીટરનો સ્પાન બ્રિજ, થરાલી-ગ્વાલડમ રોડ ઈન્ટરસેક્શનની આસપાસ બનેલો 40 મીટરનો બુસેરી બ્રિજ અને લોલ્ટીમાં બનેલ  35 મીટરનો સ્પાન બ્રિજ વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરશે.

ગઢવાલના સાંસદ તીરથ સિંહ રાવત પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા રહેશે. જ્યારે થરાલીના ધારાસભ્ય ભૂપાલરામ તમટા અને પૂર્વ ધારાસભ્ય મુન્ની દેવી શાહ કાર્યક્રમમાં હાજરી આપશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code