1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી:મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત,અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા
દિલ્હી:મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત,અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા

દિલ્હી:મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત,અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા

0
Social Share
  •  દિલ્હીમાં મોટી દુર્ઘટના
  • મકાન ધરાશાયી થતાં એકનું મોત
  • અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા
  • રેસ્ક્યુ ઓપરેશન શરુ  

દિલ્હી:રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુસ્તફાબાદના બાબુ નગર ચાને વાલી ગલીમાં આજે સવારે લગભગ 5 વાગે એક મકાન ધરાશાયી થયું હતું.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. તે જ સમયે, લગભગ ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

દુર્ઘટના બાદ તરત જ ત્રણ ફાયર ટેન્ડર ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ઘાયલ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ફાયર અધિકારીઓએ કહ્યું છે કે,કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે, જેમની શોધ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં મકાન ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બનતી હોય છે.અને આ ઘટનામાં અનેક લોકો જીવ પણ ગુમાવતા હોય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code