1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ
કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ

કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ

0
Social Share
  • રાજધાની દિલ્હી યલો શ્રેણીમાં
  • અઠવાડિયા જરમિયાન સ્થિતિ વણસી
  • રાત્રી કર્ફ્યૂ લગાવાની જરુર

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હી પણ હવે એવી સ્થિતિમાં પહોંચી છે કે જ્યા રાત્રી કર્ફ્યૂ લાદવાની જરુર પડી શકે છે આ સાથે જ કોરોનાના વધતા કેસ મામલે તે હવે યલો શ્રેણીમાં પહોંચી છે.છેલ્લા આઠ દિવસમાં કોરોનાએ રાજધાની ગ્રીન શ્રેણીમાં હતી.હવે દિલ્હી નાઇટ કર્ફ્યુની સ્થિતિમાં પહોંચી ગયું છે.

આ બબાતને લઈને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા ગ્રેપ નિયમ અનુસાર, યલો શ્રેણીમાં રાજ્યમાં આગમન પર રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવો જોઈએ. જાણવા મળ્યું છે કે સરકાર એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.જો સ્થિતિને કંટ્રોલમાં લેવી હોય તો નિષ્ણાંતોના પ્રમાણે આ જરુરી છે.

જાણકારી પ્રમાણે 18 થી 25 ડિસેમ્બરની વચ્ચે રાજધાનીમાં 1058 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા અને આ દરમિયાન ચાર દર્દીઓના મોત થયા હતા. શનિવારે એક હજાર સેમ્પલની તપાસમાં ચાર સંક્રમિત પણ નોંધાયા છે. આ તમામ આંકડાઓ ગ્રેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રથમ સ્તર સુધી પહોંચવાના માપદંડોને પૂર્ણ કરી રહ્યા છે.જેથી દિલ્હી યલો શ્રેણીમાં આવ્યું છે.આ સાથે જ 25 ડિસેમ્બરે એક હજાર સેમ્પલની તપાસમાં ચાર જણ સંક્રમિત જણાયા હતા. એ જ રીતે, 18 થી 25 ડિસેમ્બરની વચ્ચે, દૈનિક કોરોના સંક્રમણ દર 0.13 થી વધીને 0.43 ટકા થયો છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code