1. Home
  2. ગુજરાતી
  3. 14 કરોડ વૃદ્ધો અને 3 કરોડ ફ્રન્ટ લાઈન વર્કસને બુસ્ટર ડોઝ માટે અપાશે પ્રાથમિકતા-પીએમ મોદી
14 કરોડ વૃદ્ધો અને 3 કરોડ ફ્રન્ટ લાઈન વર્કસને બુસ્ટર ડોઝ માટે અપાશે પ્રાથમિકતા-પીએમ મોદી

14 કરોડ વૃદ્ધો અને 3 કરોડ ફ્રન્ટ લાઈન વર્કસને બુસ્ટર ડોઝ માટે અપાશે પ્રાથમિકતા-પીએમ મોદી

0
Social Share
  • પીએમ મોદીએ બુસ્ટર ડોઝની પણ કરી જાહેરાત
  • વૃદ્ધો અને ફ્રંટલાઈન કામદારોને મળશે પ્રાતમિકતા

 

દિલ્હીઃ-વિતેલી રાતે પીએમ મોદીએ દેશની જનતાને સંબોધન કર્યું હતું તે દરમિયાન તેમણે ઘણી મહત્વની વાતો કરી હતી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણને લઈને મહત્વની જાહેરાત કરી હતી. દેશને પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ કાર્યક્રમ અને વૃદ્ધો અને ફ્રન્ટ લાઈન કામદારોને બુસ્ટર ડોઝની પ્રાથમિકતા માટેની પણ જાહેરાત કરી હતી.

આ જાહેરાત એટલા માટે મહત્વની છે કારણ કે ઓમિક્રોનનો ખતરો દેશભરમાં મંડરાઈ રહ્યો છે. ત્રીજી લહેરની શંકાઓ દેખાઈ રહી છે, આ સાથે જ દેશમાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોની અંદાજિત સંખ્યા 80 મિલિયનથી વધુ છે. તે જ સમયે, 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોનો આંકડો લગભગ 14 કરોડ છે અને ફ્રન્ટ લાઇન વર્કર્સની સંખ્યા 3 કરોડ  છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની જાહેરાત કોરોનાના સંભવિત ત્રીજી લહેરને રોકવાના મામલામાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે.

પીએમ મોદીના સંબોધનની મહત્વની કેટલીક વાતો

દેશમાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ શરૂ થશે. તે સોમવાર 3 જાન્યુઆરી 2022 થી શરૂ થશે. દેશને સુરક્ષિત રાખવામાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સનું મોટું યોગદાન છે. આજે પણ તેઓ પોતાનો ઘણો સમય કોરોના દર્દીઓની સેવામાં વિતાવે છે. તેથી, સાવચેતીના ભાગ રૂપે, સરકારે આરોગ્યસંભાળ અને ફ્રન્ટલાઈન કામદારોને રસીનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવાનું નક્કી કર્યું છે. તે સોમવાર 10 જાન્યુઆરી 2022 થી શરૂ થશે.

આ સાથે જ તેમણે કહ્યું કે  અત્યાર સુધીનો અનુભવ એ છે કે જેઓ મોટી ઉંમરના છે અને જેઓ પહેલાથી જ કોઈ ગંભીર રોગથી પીડિત છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે. 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર દર્દીઓને તેમના ડૉક્ટરની સલાહ પર રસીની સાવચેતીભરી માત્રાનો વિકલ્પ મળશે. આ પણ 10 જાન્યુઆરીથી શરૂ થશે.

આજે, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે વિશ્વના ઘણા દેશોમાં ચેપ વધી રહ્યો છે. સાવચેત રહો, સાવચેત રહો. માસ્કનો વ્યાપક ઉપયોગ કરો. અવારનવાર હાથ ધોવાનું રાખો

આજે, જ્યારે વાયરસ પરિવર્તન પામી રહ્યો છે, ત્યારે આપણો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે. અમારી નવીન ભાવના પણ વધી રહી છે. આજે દેશમાં 18 લાખ આઈસોલેશન બેડ છે. 5 લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ છે. 1 લાખ 40 હજાર ICU બેડ છે. જો આઈસીયુ અને નોન આઈસીયુ બેડનો સમાવેશ કરવામાં આવે તો 90 હજાર બેડ બાળકો માટે છે.

આ સાથે જ જણઆવ્યું હતું કે આજે દેશમાં ઓક્સિજન પ્લાન્ટ છે. દેશમાં 4 લાખથી વધુ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. રાજ્યોને પર્યાપ્ત પરીક્ષણ કીટ અને દવાઓનો બફર સ્ટોક પૂરો પાડવામાં આવી રહ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code