1. Home
  2. ગુજરાતી
  3. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયાં કોરોના સંક્રમિતઃ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયાં કોરોના સંક્રમિતઃ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા માટે વિનંતી કરી હતી. નીતિન પટેલે કોરોના સંક્રમિત થયાં અંગે સોશિયલ મીડિયા મારફતે જાણકરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની મેડિકલ સુવિધાની અછત સર્જાઈ છે. ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણમાં ઘટાડો થાય તે માટે પ્રયાસો કરી રહી છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અનેક ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code