1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં વસ્ક્યુલર ડે નિમિત્તે યોજાયેલા વોકેથોનમાં તબીબો જોડાયા, લોકોને આપી સલાહ
રાજકોટમાં વસ્ક્યુલર ડે નિમિત્તે યોજાયેલા વોકેથોનમાં  તબીબો જોડાયા, લોકોને આપી સલાહ

રાજકોટમાં વસ્ક્યુલર ડે નિમિત્તે યોજાયેલા વોકેથોનમાં તબીબો જોડાયા, લોકોને આપી સલાહ

0
Social Share

રાજકોટઃ રવિવારે 6 ઓગસ્ટનો દિન હતો. આ દિવસને વસ્ક્યુલર ડે તરીકે મનાવવામાં આવે છે.ત્યારે શહેરના રેસકોર્સ રિંગ રોડ પર વસ્ક્યુલર ડે નિમિતે વોકેથોનનું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય દર્શિતા શાહ અને રાષ્ટ્રીય ગૌસેવા અયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથિરીયા સહિત અનેક નામી ડોક્ટરો મળી 100 કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો. આ તકે ડોક્ટરોએ જણાવ્યું હતું કે, લોકોની લાઈફસ્ટાઇલમાં આવેલા બદલાવને કારણે ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે. ગેંગરીનનાં કેસોમાં મોટો વધારો પણ નોંધાયો છે, તેથી લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.

રાજકોટ શહેરનાં રેસકોર્સ રિંગ રોડ પર મેયર બંગલો ખાતેથી વસ્ક્યુલર ડે નિમિતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વસ્ક્યુલર ડે નિમિત્તે એકત્ર થયેલા શહેરના તબીબોએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં દિન પ્રતિદિન ડાયાબિટીસના કારણે અંગ વિચ્છદની ઘટનાઓ વધી રહી છે. એવા લોકો વધી રહ્યા છે કે, જેમને ગેંગરીન થાય છે, અને બાદમાં પગ અથવા શરીરના અંગ કાપવા પડે છે. જે લોકોના અંગ કાપવા પડે તેની જિંદગી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો ચોક્કસથી ગેગરીન જેવી બીમારીથી બચી શકાય છે. હાલ ડાયાબિટીસના કેસ વધવા પાછળ મુખ્ય કારણ પણ એવું સામે આવ્યું છે કે, લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ છે. આ પણ ખૂબ જ જવાબદાર પાસું કહી શકાય. ત્યારે લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે તો ડાયાબિટીસ અને તેને કારણે થતા ગેંગરીનથી બચી શકાય છે. આ માટે લોકોએ પોતાની દિનચર્યામાં જરૂરી ફેરફાર કરવાની સલાહ પણ ડોક્ટર્સ દ્વારા અપાઈ હતી.

રાજકોટ શહેરમાં વસ્ક્યુલર વોકેથોનમાં શહેરના તબીબો જોડાયા હતા. એને લોકોને કસરત, યોગ કરવાની સલાહ આપીને જીવનચર્યામાં પણ ફેરફાર કરવાની સલાહ આપી હતી. તબીબોના કહેવા મુજબ ગુજરાતમાં ડાબિટિસના સૌથી વધુ દર્દીઓ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code