Site icon Revoi.in

બદામ ખાવાથી શું સાચે દિમાગ તેજ થાય છે? એક્સપર્ટએ જણાવ્યું તેના પાછળનું સાયન્સ

Social Share

ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીર માટે ફાયદાકારક છે. પણ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે. હવે સવાલ થાય છે કે શું બદામ ખાવાથી મગજ ખરેખર તેજ થાય છે.

એક્સપર્ટ મુજબ, એ વાત સાચી છે કે બદામ મગજને તેજ બનાવે છે. કારણ કે બદામમાં કેટલાક તત્વો મળી આવે છે, જે મગજના સેલ્સને ડેવલપ કરે છે અને તમને સતર્ક બનાવે છે. તેનાથી ખાસ કરીને મેમરી લોસની સમસ્યા નથી થતી.

આ સિવાય બદામમાં રોબોફ્લેવિન અને એલ કરનીટાઈન જેવા તત્વો હોય છે, જે ખાસ કરીને બ્રેન સેલ્સને રિપેર કરવાનું કામ કરે છે. જેનાથી દિમાગ હંમેશા સક્રિય રહે છે.

આટલું જ નહીં બદામમાં પ્રોટીન હોય છે, જે મગજના કાર્યને સુધારે છે. આ સિવાય બદામ ખાવાથી મગજના કોષો તેજ થાય છે અને મેમરી પાવર પણ વધે છે.

એક્સપર્ટ મુજબ, બદામ ખાવાની સૌથી સારી રીત છે તેને ખાસ કરીને રાત્રે પલાળી રાખવી. આ રીતે ખાવાથી તમને વધુ પોષક તત્વો મળે છે.

તેના સિવાય બદામ મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરની એનર્જી બની રહે છે.

#Almonds #BrainHealth #MemoryBoost #DryFruits #HealthyEating #Nutrition #CognitiveFunction #BrainPower #AlmondBenefits #HealthySnacking #Wellness #BrainFood #NutritionalBenefits #HealthyLifestyle #DietTips #Superfoods #BrainNutrition #AlmondsForHealth #SmartSnacking #MindfulEating

Exit mobile version