
ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખો નટરાજની મૂર્તિ, લાભની જગ્યાએ થશે નુકસાન
ઘરને અલગ-અલગ રીતે સજાવવું દરેકને ગમે છે.લોકો તેમના ઘરને વિવિધ મૂર્તિઓ, કૃત્રિમ ફૂલોથી શણગારે છે.જો મૂર્તિઓની વાત કરીએ તો તેમાંથી નટરાજની મૂર્તિ પણ ઘણા લોકો પોતાના ઘરમાં રાખે છે.આ મૂર્તિને ભગવાન શિવનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે.તેથી માન્યતાઓ અનુસાર, આ મૂર્તિને ઘરની ખોટી દિશામાં રાખવાથી સંઘર્ષ અને અશાંતિનું વાતાવરણ બને છે.પરંતુ જો તમે આ મૂર્તિને ઘરમાં યોગ્ય દિશામાં રાખો છો,તો ઘરમાં સકારાત્મકતા પણ આવી શકે છે.તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ નટરાજની મૂર્તિ કઈ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.
મૂર્તિ મૂકવાની સાચી દિશા
વાસ્તુ માન્યતાઓ અનુસાર, તમે નટરાજની મૂર્તિને પૂર્વમાં અથવા પૂર્વના મધ્યમાં મૂકી શકો છો.આ સિવાય ધ્યાન રાખો કે,આ મૂર્તિને માત્ર એક જ શોપીસના રૂપમાં રાખો.
અહીં મૂર્તિ રાખશો નહીં
નટરાજની મૂર્તિને ભગવાન શિવની પ્રતિકૃતિ માનવામાં આવે છે, તેથી ઘણા લોકો તેને મંદિરમાં રાખે છે.પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર પૂજા ઘરમાં મૂર્તિઓ ન રાખવી જોઈએ.આ તમારા ઘરની શાંતિને બગાડી શકે છે.
મૂર્તિની પૂજા કરશો નહીં
જો તમે ઘરમાં નટરાજની મૂર્તિ રાખી છે તો ભૂલથી પણ તેની પૂજા ન કરો.વાસ્તુ માન્યતાઓ અનુસાર, મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે.
ધાતુનું પણ રાખો ધ્યાન
ઘરમાં નટરાજની મૂર્તિ રાખતી વખતે મૂર્તિનું પણ ધ્યાન રાખવું.તમે પિત્તળ, બ્રાસ, અષ્ટધાતુની મૂર્તિઓ પણ ઘરમાં રાખી શકો છો.પરંતુ ભૂલથી પણ તમારા ઘરમાં માટીની મૂર્તિ ન રાખો.