1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,
ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં  મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,

0
Social Share

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં સોમવારે વહેલી સવારની મંગળી આરતીમાં જ શ્રદ્ધાળુ ભક્તો બાખડી પડ્યાં હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ ભક્તોએ મારામારી કરી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં રોષે ભરાયેલા ભક્તો એકબીજા પર તૂટી પડ્યા હતા. દરમિયાન મંદિરના સિક્યુરિટી જવાનો અને પોલીસે ટોળાંને શાંત પાડીને છૂટા પાડ્યા હતા. મંદિરમાં જ દર્શન કરવાની જગ્યા બાબતમાં મારામારી થઈ હતી. આ  સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.

પોલીસસૂત્રોના કહેવા મુજબ ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં  મંગળા આરતીના સમયે  ભગવાનનાં દ્વાર ખૂલતા પહેલાં જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટહાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ડાકોરના પીઆઈ વી.ડી.મંડોરાએ  જણાવ્યું  હતું કે, રેગ્યુલર દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરમાં જ બોલાચાલી થઈ હતી. જે છૂટાહાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી છે, અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code