
મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્સટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ
- મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આચંકા
- તીવ્રતા 4.4 નોંધાઈ
આઈઝોલઃ- મિઝોરમમાં અવાર નવાર ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી વિતેલી રાત્રે અહીંની ઘરા ઘ્રુજી ઉઠી હતી, જો કે ભૂકંના આંચકાઓ સામાન્ય હોવાથી કોઈ મોટા કે નાના નુકશાનના સમાચાર નથી.
પ્રાપ્ત વિગત પ્રમાણે મિઝોરમના ચમ્ફાઈમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આ આચંકા લગભગ 12 વાગ્યેને 50 મિનિટે આવ્યા હતા.
જો ભૂકંપની તીવ્ર્તાની વાત કરીએ તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઊંડાઈ જમીનથી 13 કિમી નીચે હતી.
Earthquake of Magnitude:4.0, Occurred on 07-09-2022, 00:50:55 IST, Lat: 23.41 & Long: 93.82, Depth: 13 Km ,Location: 50km E of Champhai, Mizoram, India for more information Download the BhooKamp App https://t.co/skraIhJw3D pic.twitter.com/jQ86j84Kt7
— National Center for Seismology (@NCS_Earthquake) September 6, 2022
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ભૂકંપ આવવાનું કારણ જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાનું છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.જેને આપણે ભૂકંપ કહીે છીએ.