1. Home
  2. ગુજરાતી
  3. આસામની રાજધાની ગુવાહાટીમાં અનુભવાયા ભૂકંપના આંચકા,બાંગ્લાદેશમાં પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ
આસામની રાજધાની ગુવાહાટીમાં અનુભવાયા ભૂકંપના આંચકા,બાંગ્લાદેશમાં પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ

આસામની રાજધાની ગુવાહાટીમાં અનુભવાયા ભૂકંપના આંચકા,બાંગ્લાદેશમાં પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ

0
Social Share

ગુવાહાટી : આસામના ગુવાહાટી અને ઉત્તર પૂર્વીય વિસ્તારના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ગયા શુક્રવારે આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 હતી

વાસ્તવમાં પૂર્વોત્તર રાજ્યો ખાસ કરીને આસામ, મિઝોરમ અને મણિપુરમાં વારંવાર આવતા ભૂકંપના કારણે અધિકારીઓ ચિંતિત છે. સિસ્મોલોજિસ્ટ્સ ઉત્તરપૂર્વીય ક્ષેત્રને વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ ભૂકંપ સંભવ વિસ્તાર માને છે. તે જ સમયે, શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી છે.

14 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 5.4-ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક દિવસ પછી મંગળવારે અને બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ ક્ષેત્રમાં પાંચ આંચકા અનુભવાયા હતા, જેનાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આંચકાને કારણે વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે જમ્મુ ક્ષેત્રમાં ભૂકંપના આંચકાને કારણે કેટલીક સંપત્તિને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code