ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.1 ની નોંધાઈ તીવ્રતા
- ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા
- 3.1 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકસાની નહીં
દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 1.50 વાગે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.
આ પહેલા 16 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 10.02 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થઈ નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.