1. Home
  2. ગુજરાતી
  3. બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ
બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ

બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ

0
Social Share
  • બિહારમાં ભૂકંપના આંચકા
  • 4.3 ની તીવ્રતા નોંધાઈ
  • જાનહાનિ કે સંપતિને કોઈ નુકસાન નહીં

પટના : બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

આ પહેલા મંગળવારે સવારે 6.50 કલાકે પશ્ચિમ નેપાળમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર, કાઠમંડુના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ નુકસાન અથવા જાનહાનિના તાત્કાલિક અહેવાલ નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code