
તમારા ખોરાકમાં સામેલ કરો ‘રાજમા’ જે બ્લડ પ્રેશર સહીતની અનેક બિમારીઓમાં આપે છે રાહત,જાણો તેના અનેક ફાયદા
- રાજમા બ્લ઼ડ પ્રેશરને કરે છે કંટ્રોલ
- કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.
શાકભાજી તથા કઠોળ આપણા આહારમાં ખૂબજ ફાયદા કારક હોય છે, આજની આ ફાસ્ટ લાઈફમાં આપણે બહારનું આરોગતા થયા છે ,પરંતુ તમારે ફિટ રહેવા માટે ઘરનો બનેલો તાજો ખોરાક ખાવો જોઈએ જેનાથી તમારુ આરોગ્ય ફિટ રહેશે, આ સાથે જ દાળ કઠોળનો ઉપયોગ મોટો પ્રાણમાં કરવો જોઈએ, આજે આપણે કઠોળમાં વાત કરીશું રાજમાની, આમ તો ગુજરાતી લોકો રાજમાનો ખૂબ ઓછો ઉપયોગ આહાર તરીકે કરે છે,દિલ્હી,હરિયાણા અને બીજા કેટલાક રાજ્યોમાં રાજમા રોંજીદા ખોરાકમાં લેવાતો આહાર છે, પરંતુ રાજમા ખાવાના જો ફાયદા તમે જાણી લેશઓો તો તમે પણ મગ,ચણાની જેમ ઘરમાં રાજમા બનાવતા થઈ જશો, રાજમા એવું કઠોળ છે જે અનેક બિમારીમાં રાહત આપે છે.
જાણો રાજમા ખાવાના અનેક મહત્વના ફાયદાઓ
- રાજમાંમાં આયર્ન, ફાઇબર અને મેગ્નેશીયમનું સારુ એવું પ્રમાણ રહેલું છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરુપ થાય છે
- તમારા આહારમાં રાજમાનો સમાવેશ કરવાથી બ્લડ પ્રેશર પર પણ કંટ્રોલ રહે છે.
- પેટની સમસ્યા માટે રાજમા ખૂબ ગુણાકરી છે,જે કબજીયાતની સમસ્યાથી છૂટકારો આપે છે.
- રાજમાને બાફીને પણ ખાઈ શકાય છે બાફેલા રાજમા વધારે ગુણકારી માનવામાં આવે છે કારણ કે તેમાં વિટામીન બી મોટા પ્રમાણમાં સમાયેલું છે, જે મગજની કોશિકાઓ મજબૂત બનાવે છે.
- ખાસ કરીને રાજમાનું સવેન માઈગ્રેનની સમસ્યામાં મોટી રાહત આપે છે
- રાજમાં ડાયાબીટીસના દર્દીઓ માટે ખૂબ ગુણકારી ગણાય છે,આ બીમારી વાળા લોકોએ રાજમાનું સેવન કરવું જોઇએ. રાજમાનાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે.
- રાજમાં ખાવાથી તમારી કીડની સંબંધિત સમસ્યાનો નાશ થાય છે આ સાથએ જ કિડનીમાં પથરી થાઈ હોય તો રાજમા તેનો કારગાર ઈલાજ સાબિત થાય છે