1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ
વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

0
Social Share

નવી દિલ્હીઃ ઘણી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2023માં રજુ થનાર કેન્દ્રીય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશની આર્થિક વૃદ્ધિની ગતિ જળવાઈ રહે. નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

નાણાપ્રધાન સીતારમણ હાલમાં અમેરિકાની મુલાકાતે છે જ્યાં તેઓ IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા ગયા છે. નાણામંત્રીએ બ્રુકિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યક્રમ દરમિયાન બજેટ વિશે આ વાતો કહી હતી.

બજેટ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, બજેટ વિશે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી કારણ કે તે બહુ જલ્દી બનશે. પરંતુ આર્થિક વિકાસ માટેની પ્રાથમિકતાઓ ટોચ પર રહેશે. મોંઘવારી અંગે ચિંતા છે તેથી મોંઘવારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે ઊર્જા, ખાતર અને ખાદ્યપદાર્થોને લઈને જે વૈશ્વિક કટોકટી ઊભી થઈ છે તેની અસર ભારતને પણ થઈ છે અને અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે સામાન્ય લોકોને તેની અસર ન થાય. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

વિવિધ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નાણાં મંત્રાલયની પ્રી-બજેટ બેઠકોની શ્રેણી 10 ઓક્ટોબર, 2022 થી શરૂ થઈ છે, જે 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ પછી, નાણા પ્રધાન ઉદ્યોગ, સામાજિક ક્ષેત્ર, અર્થશાસ્ત્રીઓ, કૃષિ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે અને બજેટ વિશે પરામર્શ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code